પયગમ્બર વિવાદ મામલે કુવૈતના 30 સાંસદોની ભારત વિરુદ્ધ કાર્યવાહીની માંગ

124

કુવૈત : પયગમ્બર પર કરાયેલી ટિપ્પણીને લઈને પેદા થયેલા વિવાદ પર કુવૈતે ભારત વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી છે.ભાજપે સસ્પેન્ડ કરેલા રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્માએ પયગમ્બરને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું.આ મામલે કુવૈતે ભારતીય રાજદૂતને સમન્સ આપ્યું હતું,બાદમાં હવે કુવૈતના 30 સાંસદે પયગમ્બરના અપમાન બદલ ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

કુવૈતના સાંસદોએ ગુરૂવારે પોતાની સરકારને અપીલ કરી કે એ ભારત પર સતત દબાણ બનાવી રાખે.આ પહેલાં કુવૈત સહિત મોટાભાગના મુસ્લિમ દેશોમાં પયગંમ્બરના અપમાનને લઈને ભારત વિરુદ્ધ અભિયાન શરૂ થઈ ગયું હતું.કુવૈતના મીડિયા રિપોર્ટ અનુસાર કુવૈતના સાંસદોએ ભારત સરકાર દ્વારા ભારતીય મુસ્લિમો અને તેમની સંપત્તિ વિરુદ્ધ કરાયેલી કાર્યવાહીની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે.

કુવૈતના આ સાંસદોએ પોતાની સરકાર અને વિશ્વની અન્ય સરકારોથી માંગ કરી કે એ ભારત વિરુદ્ધ ડિપ્લોમેટિક,આર્થિક અને મીડિયા દબાણ બનાવી રાખે,જેથી પયંગમ્બરનું અપમાન બંધ થાય અને ભારતીય મુસ્લિમો વિરુદ્ધ હુમલા પણ બંધ થાય.અહીંયા નોંધવું રહ્યું કે,ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય પ્રવક્તા નૂપુર શર્મા અને તેમના સમર્થનમાં દિલ્હી ભાજપના નેતા નવીન જિંદાલે વિવાદિત નિવેદનો આપ્યા હતા, ત્યારબાદ અરબ સહિત મુસ્લિમ દેશોમાં રોષ ભભૂક્યો છે.

Share Now