નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.સોનિયા ગાંધીને કોવિડ-19 સંબંધિત સમસ્યાઓને કારણે 12 જૂને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.75 વર્ષીય સોનિયા ગાંધીને બે જૂને કોરોના વાયરસની બીમારીનો ચેપ લાગ્યો હતો.કોંગ્રેસ મહામંત્રી જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે,‘કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સર ગંગા રામ હોસ્પિટલથી રજા મળી ગઈ છે અને તેમને ઘરે જ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.’
અહીંયા નોંધવું રહ્યું કે,કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત મની લોન્ડરિંગના એક કેસમાં સોનિયા ગાંધીને નવેસરથી સમન્સ પાઠવીને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા કહ્યું છે.
જોકે,સોનિયા ગાંધીને તબીબે આરામ કરવાની સલાહ આપી છે,એવામાં ઈડી સમક્ષ પૂછપરછ માટે તેઓ હાજર રહેશે કે કેમ? આ પહેલા સોનિયા ગાંધીને 8મી જૂને ઈડીએ હાજર થવા કહ્યું હતું,પરંતુ કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થવાના લીધે તેમણે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા માટે નવી તારીખ માંગી હતી.