સુપ્રીમ કોર્ટ આગામી મંગળવારે એટલે કે 19 જુલાઈએ આ મામલે ફરી સુનાવણી કરશે મહારાષ્ટ્રમાં યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં OBC અનામતના મુદ્દે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યાં ચૂંટણીને લઈને નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે ત્યાં કોર્ટ દખલ નહીં કરે,પરંતુ જ્યાં હજુ સુધી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી ત્યાં સુપ્રીમ કોર્ટ આગામી મંગળવારે એટલે કે 19 જુલાઈએ આ મામલે ફરી સુનાવણી કરશે.સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે“કોર્ટે સંજોગોના આધારે આદેશ આપવો જોઈએ.”રાજ્ય સરકાર દ્વારા આ કેસની સુનાવણી મોકૂફ રાખવાની માગણી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખી છે.કહેવામાં આવ્યું છે કે 92 નગરપાલિકાઓ અને નગર પંચાયતો માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ.એમ.ખાનવિલકર અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે જે વિસ્તાર માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે,ત્યાં ઉમેદવારને અનામત નહીં મળે અને તે વિસ્તાર ઓબીસી અનામતના દાયરાની બહાર રહેશે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે જો ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે,તો અમે ચૂંટણી અટકાવીશું નહીં.એસજી તુષાર મહેતાએ આ અંગે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ આ પ્રક્રિયાને એક સપ્તાહ સુધી આગળ વધારશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે“જો ચૂંટણી પ્રક્રિયા એટલે કે નોમિનેશન શરૂ થઈ જશે તો ઓબીસી ઉમેદવારોને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં અનામતનો લાભ નહીં મળે.”તે જ સમયે,સુનાવણી દરમિયાન એસજી તુષાર મહેતાએ કહ્યું કે“સમિતિની રચના કરવામાં આવી છે.ડેટા બહાર આવે ત્યાં સુધી ચૂંટણીમાં શું કરવું તેની સમસ્યા છે.આ માટે ચૂંટણી પંચની સલાહ લેવી જોઈએ.”
સુપ્રીમ કોર્ટે કહ્યું કે “ચૂંટણી પંચે આ અંગે પોતાનો અભિપ્રાય આપવો જોઈએ.”ચૂંટણી પંચે જણાવ્યું કે“આવતી કાલથી 271 ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થવાની છે.”સુપ્રીમ કોર્ટે કહ્યું કે “શું પંચ તેની તારીખ આગામી મંગળવાર સુધી લંબાવી શકે છે.”તેના પર પંચના વકીલે કહ્યું કે“આ કામ થશે.”આના પર બેન્ચે કહ્યું કે“આ મામલાની આગામી સુનાવણી મંગળવારે કરવામાં આવશે.”