દિલ્હીના આલીપોરમાં વેરહાઉસની દિવાલ ધરાશાયી, પાંચ લોકોના દર્દનાક મોત

111

દિલ્હીના અલીપોર વિસ્તારમાં એક વેરહાઉસની દિવાલ ધરાશાયી થતાં પાંચ લોકોના કરુણ મોત થયા છે.સીએમ અરવિંદ કેજરીવાલે દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.દિલ્હી પોલીસે મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. મળતી માહિતી મુજબ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે હાજર છે.દિલ્હી પોલીસે જણાવ્યું કે દિવાલ ધરાશાયી થયા બાદ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા,જેમાંથી પાંચ લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.અકસ્માત બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો

ઘાયલોને રાજા હરિશ્ચંદ્ર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘાયલો પૈકી બેની હાલત નાજુક હોવાનું કહેવાય છે.NDRF સ્થળ પર હાજર છે.જણાવવામાં આવી રહ્યું છે કે જ્યાં દિવાલ પડી તે વેરહાઉસમાં લગભગ બે ડઝન લોકો કામ કરી રહ્યા હતા.અકસ્માત બાદ કાટમાળ હટાવવા માટે જેસીબી મશીન તૈનાત કરવામાં આવ્યું છે.સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે

Share Now