ટીવીની જાણીતી અભિનેત્રી વૈશાલી ઠક્કરે 16 ઓક્ટોબરના જ આત્મહત્યા કરી લીધી છે.આ સમાચારે બધાને હચમચાવી દીધા છે.આ સાથે જ તેના મૃતદેહ પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.જેમાં મોટો ખુલાસો થતા લોકોના હોશ ઉડી ગયા છે.
ગઈકાલ સુધી એવું સાંભળવા મળતું હતું કે અભિનેત્રી દ્વારા લખવામાં આવેલ નોટમાં,તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડનો ઉલ્લેખ છે.આ બધા પછી હવે વૈશાલીની ડાયરી સામે આવી છે.જેનાથી લોકોને પણ શોક લાગ્યો છે.વૈશાલીએ પોતાની ડાયરીમાં આપઘાતનું કારણ અને તેનું દર્દ પણ વર્ણવ્યુ છે.જેની માહિતી ઇન્દોર પોલીસે આપી હતી.
ડાયરીમાં રાહુલ નામના વ્યક્તિનો ઉલ્લેખ
વાસ્તવમાં, અભિનેત્રીએ પોલીસને મળેલી વૈશાલીની ડાયરીમાં તેનું બધું દર્દ વર્ણવ્યું છે.તમને જણાવી દઈએ કે, ડાયરીમાં લખેલા વૈશાલીના છેલ્લા શબ્દો વાંચીને બધાના રૂંવાટા ઉભા થઈ ગયા છે.અભિનેત્રીએ ડાયરીમાં માતા અને પિતાની માફી માંગી છે અને લખ્યું છે કે હું સારી પુત્રી ન બની શકી.આ સાથે લખ્યું છે કે હું દુનિયા છોડી રહી છું.સાથે જ રાહુલ નામના વ્યક્તિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે,જે તેનો પાડોશી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.આ સાથે ડાયરીમાં સ્પષ્ટ દેખાય છે કે તેની પત્ની દિશાનું નામ રાહુલ સાથે છે.અભિનેત્રીએ લખ્યું છે કે, બંનેએ તેને લગભગ અઢી વર્ષથી માનસિક ત્રાસ આપ્યો હતો.બંનેને સજા કરવાની વિનંતી કરતાં અભિનેત્રીએ લખ્યું છે કે, કૃપા કરીને રાહુલ અને તેની પત્નીને સજા કરો નહીંતર મારી આત્માને શાંતિ નહીં મળે.આટલું જ નહીં, તેના માતા-પિતાને જણાવતા અભિનેત્રીએ લખ્યું કે જો દીકરી નહીં હોય તો તેને લગતી કોઈ સમસ્યા પણ નહીં રહે. મને માફ કરજો.
Indore, MP | TV actor Vaishali Takkar dies by suicide
We received info at Tejaji Nagar PS that TV actor Vaishali Takkar hanged herself to death late last night. Recovered suicide note suggests that she was stressed, was being harassed by former boyfriend. Probe on: ACP M Rahman pic.twitter.com/LvXAWQSqhf
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) October 16, 2022
આપઘાતના એક દિવસ પહેલા મિત્રો સાથે વાત કરી હતી
જાહ્નવીએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, વૈશાલીએ તેને કહ્યું હતું કે તે દિવાળી પછી તેના લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાની છે.તેણે જાહ્નવી અને વિકાસ સાથે રહેવાનો પ્લાન બનાવ્યો હતો.આ પછી જાહ્નવીએ જણાવ્યું કે, વૈશાલીએ કહ્યું હતું કે અમે ફરવા જઈશું અને બાળકોને પણ લઈ જઈશું.
લગ્ન ડિસેમ્બરમાં થવાના હતા
વિકાસ સેઠીએ જણાવ્યું કે, જાન્હવી આ વર્ષે ડિસેમ્બરમાં લગ્ન કરવાનો પ્લાન કરી રહી હતી.બંને પરિવાર જલ્દી જ લગ્નની તારીખ નક્કી કરવાના હતા.શુક્રવારે જ્યારે મેં વૈશાલી સાથે વાત કરી તો તેણે કહ્યું હતું કે, બધું બરાબર ચાલી રહ્યું છે.એમ પણ કહ્યું હતું કે, તે અમારી સાથે ખરીદી કરવા જશે અને પછી એક પાર્ટીનું આયોજન કરશે.હવે તેમના મૃત્યુના સમાચારે અમને હચમચાવી દીધા છે.જ્યારે આ સમાચાર આવ્યા ત્યારે મને લાગ્યું કે તે ખોટા છે. પછી જાહ્નવીને વૈશાલીને ફોન કરવા કહ્યું.પરંતુ, વૈશાલીનો ફોન ઉપડ્યો ન હતો.