By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: MPનાં પૂર્વ CM કમલનાથને પણ જવું પડશે ક્વારન્ટીનમાં, PCમાં હાજર પત્રકારને કોરોનાથી ફફડાટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > MPનાં પૂર્વ CM કમલનાથને પણ જવું પડશે ક્વારન્ટીનમાં, PCમાં હાજર પત્રકારને કોરોનાથી ફફડાટ
GeneralNationalPolitics

MPનાં પૂર્વ CM કમલનાથને પણ જવું પડશે ક્વારન્ટીનમાં, PCમાં હાજર પત્રકારને કોરોનાથી ફફડાટ

HM News
Last updated: 25/03/2020 10:33 AM
HM News
5 years ago
Share
The Union Minister for Urban Development & Parliamentary Affairs, Shri Kamal Nath addressing a Press Conference on the Winter Session, 2012 of Parliament (12th Session of Fifteenth Lok Sabha and the 227thSession of the Rajya Sabha), in New Delhi on November 20, 2012. The Minister of State for Parliamentary Affairs & Planning, Shri Rajiv Shukla and the Minister of State (Independent Charge) for Development of North Eastern Region and Minister of State for Parliamentary Affairs, Shri Paban Singh Ghatowar are also seen.
SHARE

મધ્ય પ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની અંતિમ પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવું પડશે. ભોપાલમાં કમલનાથની પ્રેસ કોન્ફરન્સમાં હાજર એક પત્રકારની દીકરી કોરોના પોઝિટિવ હતી. ત્યારબાદ પત્રકારનો ટેસ્ટ થયો જે પણ પોઝિટિવ મળ્યો છે. આ કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે સંપર્કમાં આવેલા તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં જવું પડશે.

પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓની પણ યાદી બનાવવામાં આવશે

આ ઉપરાંત તંત્ર તરફથી પ્રેસ કોન્ફરન્સમાં હાજર નેતાઓની પણ યાદી બનાવવામાં આવશે, જેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. આવામાં પ્રશ્ન ઉભો થાય છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં ખુદ કમલનાથ પણ હાજર હતા, શું તેમને પણ ક્વારન્ટીન કરવામાં આવશે? કમલનાથે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં ભોપાલ જ નહીં, દિલ્હીનાં પણ પત્રકારો હાજર હતા.

પત્રકારોને ક્વારન્ટીનમાં મોકલવામાં આવી શકે છે

આવામાં પ્રશ્ન ઉભો થાય છે કે શું દિલ્હીનાં પત્રકારો માટે કોઈ ખાસ સૂચના જાહેર કરવામાં આવશે? અત્યારે માનવામાં આવી રહ્યું છે કે આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર તમામ પત્રકારોને ક્વારન્ટીનમાં મોકલવામાં આવી શકે છે. પત્રકારનો રિપોર્ટ આજે જ આવ્યો છે, ત્યારબાદ વહીવટી તંત્ર તરફથી એ લોકોની ઓળખ શરૂ થઈ ગઈ છે, જે લોકો તેના સંપર્કમાં આવ્યા હતા.

કમલનાથ સરકારનાં ધારાસભ્યો અને મંત્રી પણ ત્યાં હાજર હતા

ના ફક્ત પત્રકાર, કમલનાથ સરકારનાં ધારાસભ્યો અને મંત્રી પણ ત્યાં હાજર હતા. કૉંગ્રેસનાં મોટા નેતા અને પ્રવક્તા હાજર હતા. હવે જોવાની વાત એ છે કે વહીવટી તંત્ર કેટલી જલદી એડવાઇઝરી જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોનાનાં 15 કેસ પોઝિટિવ આવ્યા છે. દેશભરમાં કોરોના સંક્રમિતોનો આંકડો લગભગ 600 પહોંચી ગયો છે, જેમાં 11 લોકોનાં મોત થયા છે અને 50 લોકો ઠીક થઈને ઘરે ગયા છે.

સુરત રેલી રદ થવા પાછળ ખરેખર શું કારણ હોઇ શકે ? હાર્દિક પટેલ પણ રેલી કરે અને કાનુની ગુંચવાડો સર્જાય એનો ભય હતો ?
વિચાર્યા વગર લોકડાઉન ક્રૂરતા : અસદુદ્દીન ઓવૈસી
એન્ટીલિયા વિસ્ફોટક પ્રકરણમાં કોલગર્લની એન્ટ્રી, વાઝે મહિને રૂ. 50 હજાર આપતો હતો
ડેલકર આપઘાત કેસમાં પ્રફુલ પટેલની સંડોવણી હોય તાત્કાલિક પ્રશાસકના હોદ્દા ઉપરથી દૂર કરો : અભિનવ ડેલકરે PM મોદી – ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો
લગ્નના ૧૪ વર્ષ પછી મેનેજર પતિને અન્ય યુવતી સાથે પ્રેમ થતા પત્નીનેે ત્રાસ
Share This Article
Facebook Email Print
Previous Article ડોલર સામે રૂપિયો ચાલુ વર્ષે 77 અને 2021માં 80 થશેઃ ફિચ
Next Article કોરોના : શેર બજારમાં રોકાણકારોના 58 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up