અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસનો ઇલાજ શોધી દીધો છે.એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાની બાયોટેક કંપની Sorrento Therapeuticsએ કહ્યું છે કે તેમણે STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર કરી છે.
માણસોનાં સેલ્સમાં સંક્રમણ ફેલાવાથી 100 ટકા સફળ
કંપનીએ કહ્યું છે કે પેટ્રી ડિશ એક્સપેરિમેન્ટમાં જાણવા મળ્યું કે STI-1499 એન્ટીબૉડી કોરોના વાયરસને માણસોનાં સેલ્સમાં સંક્રમણ ફેલાવાથી 100 ટકા રોકી દે છે.સોરેન્ટો કંપની ન્યૂયૉર્કનાં માઉન્ટ સિનઈ સ્કૂલ ઑફ મેડિસીનની સાથે મળીને અનેક એન્ટીબૉડી તૈયાર કરવા પર કામ કરી રહી છે.યોજના એ છે કે અનેક એન્ટીબૉડીને મેળવીને ‘દવાનું કૉકટેલ’ તૈયાર કરવામાં આવે.
કંપનીનાં સ્ટૉકનાં ભાવમાં 220 ટકાનો ઉછાળો
એક અન્ય રિપોર્ટ પ્રમાણે,સોરેન્ટો કંપનીએ એક પ્રેસ રીલીઝમાં કહ્યું છે કે તે એક મહિનામાં એન્ટીબૉડીનાં 2 લાખ ડોઝ તૈયાર કરી શકે છે.કંપનીએ STI-1499 એન્ટીબૉડીનાં ઉપયોગની મંજૂરી માટે અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એપ્લિકેશન મોકલી છે.કંપનીએ ઇમરજન્સીનાં આધારે આની મંજૂરીની માંગણી કરી છે.આ સમાચાર બાદ કંપનીનાં સ્ટૉકનાં ભાવમાં 220 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.
એન્ટીબૉડીનો ટેસ્ટ લેબમાં માણસોનાં સેલ્સ પર કરવામાં આવ્યો
સોરેન્ટોનાં સીઈઓ ડૉ. હેન્રી જીએ કહ્યું કે, ‘અમે કહેવા ઇચ્છીએ ઇચ્છીએ છીએ કે આનો એક ઇલાજ છે. આ ઇલાજ 100 ટકા કારગર છે.’ સીઈઓ ડૉ. હેન્રીએ કહ્યું કે, ‘જો તમારા શરીરમાં વાયરસને ન્યૂટ્રલાઇઝ કરવા માટે એન્ટીબૉડી હાજર રહે છે તો તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર નહીં રહે. કોઇપણ ડર વગર પ્રતિબંધો હટાવી શકાય છે.’ આ એન્ટીબૉડીનો ટેસ્ટ લેબમાં માણસોનાં સેલ્સ પર કરવામાં આવ્યો છે.માણસો પર પ્રત્યક્ષ રીતે આનું પરીક્ષણ નથી થયું.એન્ટીબૉડીની સાઇડ ઇફેક્ટ પણ અત્યારે સામે આવી નથી અને એ પણ સામે નથી આવ્યું કે માણસોનાં શરીરમાં આ કેવી અસર કરશે.