By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર : કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યાનો 100 ટકા દાવો : STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર : કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યાનો 100 ટકા દાવો : STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર
GeneralInternational

USની કંપનીએ દુનિયા માટે આપ્યા રાહતનાં સમાચાર : કોરોના વાયરસનો ઇલાજ શોધી કાઢ્યાનો 100 ટકા દાવો : STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર

HM News
Last updated: 16/05/2020 10:50 AM
HM News
5 years ago
Share
SHARE

અમેરિકાની એક કંપનીએ દાવો કર્યો છે કે તેણે કોરોના વાયરસનો ઇલાજ શોધી દીધો છે.એક રિપોર્ટ પ્રમાણે કેલિફોર્નિયાની બાયોટેક કંપની Sorrento Therapeuticsએ કહ્યું છે કે તેમણે STI-1499 નામની એન્ટીબૉડી તૈયાર કરી છે.

માણસોનાં સેલ્સમાં સંક્રમણ ફેલાવાથી 100 ટકા સફળ

કંપનીએ કહ્યું છે કે પેટ્રી ડિશ એક્સપેરિમેન્ટમાં જાણવા મળ્યું કે STI-1499 એન્ટીબૉડી કોરોના વાયરસને માણસોનાં સેલ્સમાં સંક્રમણ ફેલાવાથી 100 ટકા રોકી દે છે.સોરેન્ટો કંપની ન્યૂયૉર્કનાં માઉન્ટ સિનઈ સ્કૂલ ઑફ મેડિસીનની સાથે મળીને અનેક એન્ટીબૉડી તૈયાર કરવા પર કામ કરી રહી છે.યોજના એ છે કે અનેક એન્ટીબૉડીને મેળવીને ‘દવાનું કૉકટેલ’ તૈયાર કરવામાં આવે.

કંપનીનાં સ્ટૉકનાં ભાવમાં 220 ટકાનો ઉછાળો

એક અન્ય રિપોર્ટ પ્રમાણે,સોરેન્ટો કંપનીએ એક પ્રેસ રીલીઝમાં કહ્યું છે કે તે એક મહિનામાં એન્ટીબૉડીનાં 2 લાખ ડોઝ તૈયાર કરી શકે છે.કંપનીએ STI-1499 એન્ટીબૉડીનાં ઉપયોગની મંજૂરી માટે અમેરિકાનાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને એપ્લિકેશન મોકલી છે.કંપનીએ ઇમરજન્સીનાં આધારે આની મંજૂરીની માંગણી કરી છે.આ સમાચાર બાદ કંપનીનાં સ્ટૉકનાં ભાવમાં 220 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

એન્ટીબૉડીનો ટેસ્ટ લેબમાં માણસોનાં સેલ્સ પર કરવામાં આવ્યો

સોરેન્ટોનાં સીઈઓ ડૉ. હેન્રી જીએ કહ્યું કે, ‘અમે કહેવા ઇચ્છીએ ઇચ્છીએ છીએ કે આનો એક ઇલાજ છે. આ ઇલાજ 100 ટકા કારગર છે.’ સીઈઓ ડૉ. હેન્રીએ કહ્યું કે, ‘જો તમારા શરીરમાં વાયરસને ન્યૂટ્રલાઇઝ કરવા માટે એન્ટીબૉડી હાજર રહે છે તો તમારે સોશિયલ ડિસ્ટન્સિંગની જરૂર નહીં રહે. કોઇપણ ડર વગર પ્રતિબંધો હટાવી શકાય છે.’ આ એન્ટીબૉડીનો ટેસ્ટ લેબમાં માણસોનાં સેલ્સ પર કરવામાં આવ્યો છે.માણસો પર પ્રત્યક્ષ રીતે આનું પરીક્ષણ નથી થયું.એન્ટીબૉડીની સાઇડ ઇફેક્ટ પણ અત્યારે સામે આવી નથી અને એ પણ સામે નથી આવ્યું કે માણસોનાં શરીરમાં આ કેવી અસર કરશે.

કનિકા કપૂરના પિતાએ કર્યો ધડાકો, એરપોર્ટ પર ટોઈલેટમાં છુપાઈ ગઈ હતી સિંગર?
સીઆર પાટીલે કોંગ્રેસ અને આપ પાર્ટીને કૂતરા અને બિલાડા કહ્યા ત્યારે હવે મનસુખ વસાવાએ છોટુ વસાવાને રંગ બદલતો કાચીંડો કહ્યો…
સલમાન ખાનને ધમકી આપવા પાછળ બિશ્નોઈ ગેંગનો હાથ, પત્રનો ઉદ્દેશ બહાર આવ્યો
અમેરિકન છાપાના લેખના આધારે રાહુલે કર્યો દાવો -Whatsapp અને BJPનું છે ‘નેક્સસ’
પ્રયાગરાજ હિંસા : માસ્ટર માઈન્ડના ઘર પર બુલડોઝર ફર્યું, પીએફઆઈના ઝંડા મળ્યા
Share This Article
Facebook Email Print
Previous Article કોંગ્રેસ શાસિત ધોરાજી નગરપાલિકા ના બે સમિતિનાં ચેરમેનોએ ધરી દીધા રાજીનામા !
Next Article ચીન હોસ્પિટલ,રિસર્ચ લેબ અને ફાર્મા કંપનીઓ પર સાયબર હૂમલા કરી રહ્યું છે : અમેરિકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up