By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: આઇપીએલ 2020 ટુર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે પડતી મુકાઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > આઇપીએલ 2020 ટુર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે પડતી મુકાઈ
GeneralNationalSports

આઇપીએલ 2020 ટુર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે પડતી મુકાઈ

HM News
Last updated: 16/04/2020 12:15 PM
HM News
5 years ago
Share
SHARE

– કોરોના વાયરસને પગલે બીસીસીઆઈનો નિર્ણય, પરિસ્થિતિ સુધરે ત્યાર પછી જ વિચારણા કરાશે

નવી દિલ્હી,

વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટ અનિશ્ચિત મુદત માટે પડતી મૂકવાનો ભારતીય ક્રિકેટ બોર્ડે ગુરુવારે નિર્ણય લીધો હતો.આમ 2020ની આઇપીએલ સિઝન રદ કરવામાં આવી છે. બીસીસીઆઈએ જણાવ્યું હતું કે તેઓ પરિસ્થિતિની સતત સમીક્ષા કરી રહ્યા છે અને ભવિષ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થશે ત્યાર બાદ આ અંગે વિચારણા કરાશે.

2020ની આઇપીએલનો પ્રારંભ 29મી માર્ચથી થનારો હતો અને ત્યાર બાદ તેને 14મી એપ્રિલ સુધી મુલતવી રખાઈ હતી પરંતુ ભારત સરકારે લોકડાઉનની મુદત લંબાવીને ત્રીજી મે કરી દેતાં આ ટી20 ટુર્નામેન્ટ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી હતી. એવી પણ અટકળો થતી હતી કે સપ્ટેમ્બરમાં આ ટુર્નામેન્ટ રમાશે અથવા તો તેની મેચો ઘટાડીને પણ તેનું આયોજન કરવામાં આવશે પરંતુ સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો છે અને આગામી સમયમાં તેના આયોજનની કોઈ શક્યતા જણાતી નથી ત્યારે ગુરુવારે બોર્ડે સ્પષ્ટતા કરીને અનિશ્ચિત મુદત માટે તેને પડતી મૂકવાનો નિર્ણય લીધો હતો.

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં આરોગ્યની સ્થિતિ જોખમી બની ગઈ છે અને સરકારે લોકડાઉનના પગલા લઈને કોરોનાને નાથવાનો પ્રયાસ કર્યો છે ત્યારે બોર્ડની આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલે ભવિષ્યમાં કોઈ જાહેરાત થાય નહીં કે નિર્ણય લેવાય નહીં ત્યાં સુધી આઇપીએલ 2020 પડતી મૂકી છે.

તેમણે જણાવ્યું હતું કે દેશના લોકો તથા આઇપીએલ સાથે સંકળાયેલા તમામના આરોગ્ય અને સુરક્ષા અમારા માટે પણ પ્રાથમિકતા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જ બીસીસીઆઈ,તમામ ફ્રેન્ચાઇઝીના માલિકો, બ્રોડકાસ્ટર, સ્પોન્સર્સ અને લીગ સાથે સંકળાયેલા તમામે નિર્ણય લીધો છે કે સંપૂર્ણ સલામતી હશે અને યોગ્ય રીતે આયોજન થઈ શકશે ત્યારે જ આઇપીએલ 2020 સિઝનનો પ્રારંભ થશે.

આ દરમિયાન બીસીસીઆઈ પરિસ્થિતિની સતત સમીક્ષા કરશે અને ભારત સરકાર તથા વિવિધ રાજ્ય સરકાર સાથે મંત્રણા કરીને તેમના માર્ગદર્શન મુજબ આઇપીએલ અંગે વિચારણા કરશે.

ચોરના ઘરની તલાશી લેવા ગયેલી પોલીસને મહિલાઓની એવી વસ્તુ મળી કે હોંશ ઉડી ગયા
PI અજય દેસાઇનું આખુ જીવન ફિલ્મી, બાળપણ ઝુંપડપટ્ટીમાં PSI બન્યા બાદ રંગીન અને વૈભવી જીવન
વલસાડ CWCની ટીમે ભાગેલા બાળકને ભરતપુરની ટીમને સોંપ્યો
ગુજરાતમાં 15 જૂન સુધી ભાજપની જાહેર સભાઓ મોકૂફ, બિપોરજોય વાવાઝોડાના કારણે લેવાયો નિર્ણય
સુઝુકી,ટાટા,હોન્ડા સહિત અન્ય 8 કંપનીઓ ગુજરાતમાં સ્થાનિકો માટે રોજગારીના ધોરણોનું ઉલ્લંઘન કર્યું !
Share This Article
Facebook Email Print
Previous Article ચેન્નાઈમાં હેન્ડવોશ, મુંબઈમાં કોન્ડોમ, હૈદ્રાબાદમાં આઇપીલની ડિમાન્ડ!
Next Article AMCના આસિસ્ટન્ટ મ્યુ. કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up