By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મધ્યપ્રદેશ Political Crisis : સ્પીકરે વધુ 16 MLAના રાજીનામા સ્વીકાર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > મધ્યપ્રદેશ Political Crisis : સ્પીકરે વધુ 16 MLAના રાજીનામા સ્વીકાર્યા
GeneralNationalPolitics

મધ્યપ્રદેશ Political Crisis : સ્પીકરે વધુ 16 MLAના રાજીનામા સ્વીકાર્યા

HM News
Last updated: 20/03/2020 8:35 AM
HM News
5 years ago
Share
SHARE

દિગ્વિજયસિંહે કહ્યું- મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકારને બચાવવી મુશ્કેલ
એજન્સી, ભોપાલ

મધ્યપ્રદેશમાં છેલ્લા પખવાડિયાથી ચાલી રહેલા રાજકીય નાટકનો આજે અંત નક્કી જણાઈ રહ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે કમલનાથ સરકારને આદેશ આપ્યો હતો અને શુક્રવારના વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ યોજવા જણાવ્યું હતું. કોંગ્રેસ અને ભાજપે પોતાના તમામ ધારાસભ્યોને આજે ગૃહમાં હાજર રહેવા માટે વ્હીપ જાહેર કરી દીધું છે. કમલનાથ દ્વારા સીએમ હાઉસ પર 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે જેમાં તે રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી શકે છે. ગુરુવારે રાત્રે સ્પીકરે કોંગ્રેસના 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા છે. આ રાજીનામા સ્વીકારી લીધા બાદ કોંગ્રેસના ધારાસભ્યોની કુલ સંખ્યા 92 થઈ ગઈ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ સ્વીકાર્યું છે કે હવે રાજ્યમાં કોંગ્રેસની સરકાર સુરક્ષિત નથી અને બચાવવી મુશ્કેલ છે. ફ્લોર ટેસ્ટ વખતે શું ગણિત રહે છે તેના પર હવે સૌની નજર રહેલી છે.

કોંગ્રેસના 22 બળવાખોર એમએલએના રાજીનામા સ્વીકારી લેવાતા સંખ્યાબળની દ્રષ્ટિએ ભાજપ સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ભાજપ પાસે 107 ધારાસભ્યો છે. કોંગ્રેસ પાસે સ્પીકર સહિત 92 ધારાસભ્યો જ છે. કોંગ્રેસને અપક્ષ ઉપરાંત બસપા-સપાના સાત ધારાસભ્યોનું સમર્થન છે. ફ્લોર ટેસ્ટમાં કમલનાથ સમક્ષ બહુમત પુરવાર કરીને સરકાર બચાવવાનો પડકાર રહેલો છે.

સરકાર પડશે તો રાજ્યપાલ ભાજપને તક આપી શકે
શુક્રવારે ગૃહમાં કમલનાથ બહુમત મેળવવામાં નિષ્ફળ જશે અથવા ફ્લોર ટેસ્ટ અગાઉ રાજીનામું આપશે તો ભાજપ રાજ્યપાલ પાસે જઈને સરકાર રચવાનો દાવો કરશે. વર્તમાન એમએલએ સંખ્યા મુજબ ભાજપ પાસે બહુમત છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ફરી એકવખત શિવરાજ સિંહ ચૌહાણ રાજ્યના સીએમ બનશે. જો આમ થશે તો શિવરાજ રેકોર્ડ ચોથી વખત સીએમ પદના શપથ ગ્રહણ કરશે.

જાણો, મધ્યપ્રદેશ વિધાનસભાનું ગણિત

મધ્યપ્રદેશ વિધાનસભામાં બે ધારાસભ્યોના નિધન બાદ કુલ બેઠક = 228

કોંગ્રેસના 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્પીકરે સ્વીકારતા વિધાનસભામાં સંખ્યા (228-22) = 206

આ સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો = 104

ભાજપ પાસે સંખ્યા = 107 (બહુમત કરતા ત્રણ ધારાસભ્ય વધુ)

કોંગ્રેસની સંખ્યા = 92

અપક્ષ અને બસપા-સપાના ધારાસભ્યો = 7

*કોંગ્રેસ+ = 99 (બહુમત કરતા પાંચ ધારાસભ્યો ઓછા)

ધામડોદમાં ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતાં ત્રણ ઝડપાયા
જામનગરમાં સગીરને માર મારવાના કેસમાં 2 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ
સુરતના જાણીતા કાર શો-રૂમના માલિક દિપક ગજ્જર અને જીતેન્દ્ર ગજ્જર વાપીમાં 17 બોટલ દારૂ સાથે પકડાયા
નવસારીમાં મીની સારંગપુર ધામ તરીકે જાણીતા 425 વર્ષ પૌરાણિક વિરવાડી ખાતે હનુમાન જન્મોત્સવ
CR પાટીલ ઇન્જેક્શન ક્યાંથી લાવ્યા? BJP ધારાસભ્ય હર્ષ સંઘવીએ કર્યો ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article દોષિતોના વકીલ એ.પી. સિંહે નિર્ભયા પર આપત્તિજનક ટિપ્પણી કરતાં સુપ્રીમમાં અડધી રાત્રે આક્રોશ ફાટ્યો
Next Article કોરોનાના પગલે સુરતમાં કલમ 144 લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up