ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે 4 કિ.મી. લંબાઇના ૩ એલિવેટેડ ફ્લાયઓવર બનાવાશે

HM News
3 Min Read

ગાંધીનગર : ભારત સરકારે ગુજરાતમાં રૂ.૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગના નવા ૩૪ કામો મંજૂર કર્યા છે.ભારત સરકારે ૨૦૨૨-૨૩નો રૂ.૩૭૬૦.૬૪ કરોડનો આ વાર્ષિક પ્લાન મંજૂર કર્યો છે.આ પ્લાન મુજબ અમદાવાદમાં રૂ.૧૧૦ કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે ૪ કિ.મી.લંબાઇ ૩ એલિવેટેડ ફ્લાયઓવરનું નિર્માણ કરાશે.તે ઉપરાંત રૂ.૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કિ.મી.નો છ લેન રસ્તો આઠ લેનનો કરાશે.

સાબરમતી નદી પરના પુલને છ પણ માર્ગીય બનાવાશે. રૂ.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કિ.મી.ના 4 લેન રસ્તાને 6 લેન બનાવી એલિવેટેડ કોરીડોર ઉપલબ્ધ બનાવાશે.કુલ વાર્ષીક પ્લાનમાં રૂ.રપ૧૧.૧૦ કરોડના રસ્તાના બાંધકામ,નવા બ્રિજના બાંધકામો તેમજ રૂ.૧ર૪૯.૫૪ કરોડના પ્રી-કન્સ્ટ્રક્શન એક્ટિવિટીના કામો હાથ ધરાશે.આ રસ્તામાં નદીઓ ઉપર બ્રિજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી.-આર.યુ.બી.નું નિર્માણ કરાશે,જેના થકી ફાટક-મુક્ત ગુજરાતના નિર્માણ થશે.

ગુજરાતના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે,રૂ.૨૫૭ કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના ૫૦.૪૮ કિ.મી.ના ૧૦ મીટર પહોળા રસ્તાનું નિર્માણ કરાશે.જેના પર બે રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયાનું નિર્માણ થશે.આ રોડ પર ૧૦૦ કિ.મી.ની સ્પીડ સુધી વાહનો દોડી શકશે.આ ઉપરાંત રૂ. ૪૫૧.૫૦ કરોડના ખર્ચે બાધડા–અમરેલીના ૫૦.૪૮ કિ.મી.નો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે.જેમાં અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.આ ઉપરાંત રૂ.૪૫૦ કરોડના ખર્ચે ભિલોડા–શામળાજી નેશનલ હાઇવે 168-G નો નવો ૧૦ મીટર પહોળો રસ્તો બનાવાશે.

જેના પર નવા નાના પુલ તથા ભીલોડા બાયપાસનુ નિર્માણ કરાશે.આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને પણ ૧૦ મીટર પહોળો બનાવી હયાત રસ્તાનું અપગ્રેડેશન કરાશે.વધુમાં રૂ.૨૫૦ કરોડના ખર્ચે જામનગર–કાલવાડ નેશનલ હાઇવે-927-Dને ચાર લેન બનાવાશે.જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારની મંજૂરીની પ્રક્રિયાઓ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ નિર્ણય બદલ મંત્રી પૂર્ણેશ મોદીએ ગુજરાતના નાગરિકો વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે,આ વાર્ષિક પ્લાનમાં રૂ.૩૫૦ કરોડના ખર્ચે નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના ૧૨.૮ કિ.મી.ના હયાત રસ્તાને વિકસાવવામાં આવશે.જે અંતર્ગત નારોલ જંક્શનથી વિશાલા જંક્શન વચ્ચેના છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય રસ્તા તરીકે વિકસાવવામાં આવશે.

સાબરમતી નદી પરના પુલને છ માર્ગીય બનાવાશે.આ ઉપરાંત રૂ.૧૨૮ કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના ૫.૨૮ કિ.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલિવેટેડ કોરીડોર પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવાશે.આ ઉપરાંત રૂ.૧૧૦ કરોડના ખર્ચે સરખેજ–ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાયઓવરથી સાણંદ ફ્લાયઓવર વચ્ચે ૪ કિ.મી.લંબાઇ ૩ એલિવેટેડ ફ્લાયઓવરનુ નિર્માણ કરાશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *