કોરોનાની મહામારી વચ્ચે ખૂદ કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સહિત ૯ પોલીસ કર્મચારીઓ દ્વારા કબજે કરાયેલા દારૃનો લાખો રૃપિયાના જથ્થો વેચવા કાઢ્યો હતો.એટલુ જ નહી આ કૌભાંડનો ભાંડો ફૂટતાં પોલીસે દારૃનો અમુક જથૃથો કડી કેનાલમાં ફેંકી દીધો હતો.આ દારૃના વેપલા મુદ્દે મહેસાણા રેન્જ આઇે કડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર ઓ.એમ.દેસાઇ સહીત નવ પોલીસ કર્મચારી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.બીજીતરફ આજે ગૃહ વિભાગે આ બનાવની ગંભીર નોંધ લઇને જવાબદાર મહેસાણાના એસપી મનિષસિંઘની બદલી ગોધરા એસઆરપી ગૃપમાં કરવામાં આવી છે જ્યારે ત્રણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિત સાત પોલીસ અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે લોક ડાઉન દરમિયાન મહેસાણા જિલ્લા ની કડી પોલીસે વિદેશી દારુનો જથ્થો પકડયો હતો.સાત કેન્ટેનર જેટલો દારુનો જથ્થો ગોડાનમાં રાખવામાં આવ્યો હતો.કડી પોલીસ સ્ટેશના પોલીસ ઇન્સ્પેકટર ઓ.એમ. દેસાઇની દેખરેખ હેઠળ ગોડાઉનમાંથી ૧૦૦ પેટી એેટલે કે અંદાજિત સાત લાખની કિંમતનો જથૃથો ગોડાઉનમાંથી કાઢીને પોલીસ સ્ટેશન પાછળ આવેલા ક્વાટર્સમાં સંતાડવામાં આવ્યો હતો આ ઘટનાની જાણ પોલીસ અધિકારીઓને થતાં આજે કડી કેનાલમાં દારૃનો જથ્થો ફેંકી દવામાં આવ્યો હતો.ગાંધીનગર રેન્જએ આ કેસની તપાસ મહેસાણા એસપીના બદલે તપાસ ગાંધીનગર એસપી મયુરસિંહ ચાવડાને સોંપવામાં આવી છે.
તપાસમાં કડી કેનાલમાંથી ૧૩૨ દારૃની બોટલો મળી આવી હતી તેમજ દારૃકાંડનો ગોરધંધો સાબિત થતાં કડી પોલીસ સ્ટેશનના પોલીસઇન્સ્પેકટર ઓ.એમ. દેસાઇ સહિત નવ સામે ગુનો નોાૃધવામાં આવ્યો હતો. આ બનાવ બાદ પોલીસ ઇન્સ્પેકટરનને આ વાતની ગંધ આવતાં મોબાઇલ સ્વીચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.આ દારૃકાંડના પ્રકરણની ગૃહ વિભાગે ગંભીર નોાૃધ લઇને જવાબદાર મહેસાણાના એસપી મનિષસિંઘની બદલી ગોધરા એસઆરપી ગૃ્રપમાં કરવામાં આવી છે તેમની જગ્યાએ પોરબંદ એસપી ડૉ.પ્રથરાજસિંહ ગોહિલને મુકવામાં આવ્યા છે.જયારે ડૉ. રવિમોહન સૈનીને રાજકોટથી બદલી કરીને પોરબંદર એસપી તરીકે મુકવામાં આવ્યા છે તેમજ ત્રણ પીઆઇ અને ચાર પીએસઆઇ સહિત સાત પોલીસ અધકારીઓની પણ બદલી કરવામાં આવી છે.