By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં પોલીસ પર ફરી એક વખત પથ્થરમારો, હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોનો હોબાળો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પોલીસ પર ફરી એક વખત પથ્થરમારો, હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોનો હોબાળો
GeneralSurat

સુરતમાં પોલીસ પર ફરી એક વખત પથ્થરમારો, હોમ ક્વૉરન્ટીન કરાયેલા લોકોનો હોબાળો

HM News
Last updated: 07/05/2020 6:36 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : શહેરમાં ફરી એક વખત પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે.આ વખતે કોરોનાને સંક્રમણના ખતરાને કારણે હોમ ક્વૉરન્ટીન કરવામાં આવેલા લોકોએ હોબાળો કરીને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.જે બાદમાં પોલીસ એક્શનમાં આવી હતી અને લોકોના ટોળાને વિખેરવા માટે પોલીસે ટિયરગેસના સેલનો પણ પ્રયોગ કરવો પડ્યો હતો.સુરત શહેરના સચિન વિસ્તારમાં બુધવારે રાત્રે આ બનાવ બન્યો હતો.આ મામલે પોલીસે અનેક લોકોની અટકાયત પણ કરી છે.મળતી માહિતી પ્રમાણે હોમ ક્વૉરન્ટીનમાં રહેલા લોકોએ કંટાળીને હોબાળો મચાવ્યો હતો.

પથ્થરમારાની ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સચિન જીઆઈડીસી વિસ્તારના જે જગ્યાએ આ બનાવ બન્યો હતો ત્યાં કોરોના પોઝિટિવનો એક દર્દી છે.આથી વિસ્તારમાં લોકોનો હોમ ક્વૉરન્ટીન કરાયા છે.રાત્રે આશરે 10 વાગ્યાની આસપાસ આ લોકોએ અંદરોઅંદર ઝઘડો કર્યો હતો અને રસ્તા પર આવી ગયા હતા.આ વિસ્તારમાં પોલીસ પોઇન્ટ હોવાથી પોલીસ તેમને અટકાવ્યા હતા. આ દરમિયાન તેમણે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

આ મામલે પોલીસે 30 થી 40 લોકોની રાત્રે જ અટકાયત કરી લીધી હતી.પથ્થરમારાની ઘટનામાં પોલીસના કોઈ જવાનને ઇજા પહોંચી નથી. ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં વધારાનો કાફલો ખડકી દીધો હતો.સાથે જ પોલીસ તરફથી જણાવવામાં આવ્યું છે કે તપાસ બાદ જે લોકો સામેલ હશે તેમની ધરપકડ કરવામાં આવશે.પથ્થરમારો થયો ત્યારે પોઈન્ટ ઉપર ચાર પોલીસકર્મી હાજર હતા.જે બાદમાં વધારાનો સ્ટાફ બોલાવી લેવામાં આવ્યો હતો.

બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હોમ ક્વૉરન્ટી રહીને કંટાળેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો.જે બાદમાં લોકો ઘરની બહાર દોડી ગયા હતા અને પોલીસે તેમને અટકાવતા પથ્થરમારો કર્યો હતો.મળથી માહિતી પ્રમાણે પોલીસે ટોળાને વિખેરવા માટે ટિયરગેસના સેલનો પ્રયોગ કરવો પડ્યો હતો.જ્યારે પોલીસ અધિકારીના કહેવા પ્રમાણે ટિયરગેસનો ઉપયોગ નથી કરાયો.

સમય બદલાયો : ખ્રિસ્તી સમાજ કોરોનાગ્રસ્તોને દફનાવાને બદલે કરી રહયા છે દાહ સંસ્કાર
દેશમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 1.84 લાખ નવા કેસ, કુલ કેસોનો આંક 1.38 કરોડને પાર
દાનહના બેડપામાં પાણી માટે લોકોના વલખા : લોકોને 2 કિમી દૂર નદીએ જવાનો વારો
કોરોના વાયરસ સામે યુદ્ધ: ભારતીય સેના એલર્ટ મોડ પર, યુદ્ધ જહાજો અને પ્લેન કરાયા સજ્જ
BJPના MLA મધુ શ્રીવાસ્તવ વધુ એક વિવાદમાં!, હું એકલો વીલથી ખેડૂત નથી, મંદિરો માટે અડધી જિંદગી ગુમાવી છે’
Share This Article
Facebook Email Print
Previous Article સુરતમાં BJPના માજી કોર્પોરેટરના પુત્ર સાથે યુવતીને કારમાં શારીરિક સંબંધ બાંધવો ભારે પડ્યો
Next Article સસ્તા ક્રુડનો ફાયદો ગ્રાહકોને નહિઃ ૧૮નું પેટ્રોલ ૭૧માં : કેવો છે ખેલ ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up