By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: યોગ્ય રીતે લોકડાઉન હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી જશે : WHO
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > યોગ્ય રીતે લોકડાઉન હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી જશે : WHO
GeneralInternational

યોગ્ય રીતે લોકડાઉન હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ વણસી જશે : WHO

HM News
Last updated: 08/05/2020 11:06 AM
HM News
5 years ago
Share
SHARE

– કોરોના પર કાબુ મેળવવા દેશો ખૂબ જ સાવધાની અને યોજના નિર્ણયો લેઃ WHO પ્રમુખ

જીનિવા,

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પ્રમુખ ટેડ્રોસ અધનોમ ધેબ્રેયસસે દુનિયાના દેશોને ચેતવણી આપતા કહ્યું કે જો લોકડાઉનને યોગ્ય રીતે હટાવવામાં નહીં આવે તો પરિસ્થિતિ ખરાબ રીતે વણસી જશે.WHOના મહાનિદેશક ટેડ્રોસ અધનોમે વિશ્વને ચેતવણી આપતા કહ્યું કે મોટા ભાગના દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા જતા વ્યાપને કાબુમાં લેવા માટે લોકડાઉન પર લગાવેલા પ્રતિબંધોમાં ઢીલ મુકવા માટે વિચાર કરી રહ્યા છે.પરંતુ હું તેવા દેશોને કહેવા માગુ છું કે લોકડાઉનમાં છૂટ-છાટ આપવા વિશે ખૂબ જ સમજી વિચારીને અને સાવધાની પૂર્વક નિર્ણય લે.

બુધવારના રોજ જિનિવામાં યોજાયેલી એક ઓનલાઈન પ્રેસ કોન્ફરન્સમાં તેમણે કહ્યું કે,જો દેશો દ્વારા સંક્રમણ પર કાબુ મેળવવા માટે ખૂબ જ સાવધાનીપૂર્વક અને યોજનાપૂર્વક નિર્ણયો લેવામાં નહીં આવે તો ફરીથી લાંબા સમય માટે લોકડાઉન લગાવવું પડી શકે છે.WHOના છ માપદંડો પર વિચાર કરવા માટે ટેડ્રોસે તમામ દેશોને ભલામણ કરતા કહ્યું કે જો દેશો દ્વારા સંક્રમણને રોકવા માટે લેવામાં આવતા પગલાઓને ખૂબ જ સાવચેતીથી, તબક્કાવાર રીતે,પ્રત્યેક મામલામાં ટેસ્ટિંગ કરીને સરાવાર કરવી, દરેક સંપર્કને ટ્રેસ કરવા,કાર્યસ્થળોએ અને શાળાઓમાં વાયરસને ફેલાતો રોકવા જરૂરી સારવાર આપવી,સખત કાળજી જાળવવી,આઈસોલેશનમાં જરૂરી સારવાર આપવી તેમજ લોકડાઉન ખુલ્યા પછી પણ સંક્રમણ ફરીથી ન ફેલાય તે માટે એવા માપદંડો બનાવવા કે જેમાં દેશની જનતાનો પૂર્ણ સહયોગ મળી રહે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના પ્રમુખે કહ્યું કે WHOને મળેલા અહેવાલ અનુસાર,અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે લગભગ 2,50,000 લોકો મોતને ભેટ્યા છે જ્યારે 35 લાખથી વધારે લોકો આ વાયરસની અડફેટે આવી ચૂક્યા છે.એપ્રિલ મહિનાની શરૂઆત બાદથી દુનિયામાં દરરોજ સરેરાશ 80,000 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.નોંધનીય છે કે WHO અત્યારે વિશ્વવ્યાપી કોરોના વાયરસની મહામારી સાથે સંકળાયેલી અનેક બેદરકારીને કારણે નિંદાનો સામનો કરી રહ્યો છે.

ઉત્તર ભારતના કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઇ અને ગોલ્ડી બ્રાર ગેંગનો શુટર પિસ્ટલ અને 5 જીવતા કાર્ટીઝ સાથે વલસાડમાંથી ઝડપાયો
તિરુવનંતપુરમ એરપોર્ટ અદાણીને સોંપવાના નિર્ણંયને કેરળ સરકારે સુપ્રીમકોર્ટમાં પડકાર્યો
સ્થાનિક ઉદ્યોગોને જીવતું રાખવા ઓક્ટોબર સુધી સીમલેસ ટ્યુબમાં એન્ટી ડમ્પીંગ ડ્યુટી ચાલુ રાખવાનો નિર્ણય
કિશોરીએ સંબંઘ બાંધવાની ના પાડતા યુવક મિત્ર સાથે મળીને કપડા કાઢવા લાગ્યો અને…
ગુજરાતમાં નવી 7 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર,23000 EWS આવાસોનું નિર્માણ થશે
Share This Article
Facebook Email Print
Previous Article ઈઝરાયેલની સુપ્રીમ કોર્ટે નેતન્યાહૂને સરકાર બનાવવાની મંજૂરી આપી
Next Article HCL ટેક્નો.નો પ્રોફિટ 23 ટકા વધ્યો, 2 ડિવિડન્ડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up