– કાયદા મિત્ર ગૃપનું લોકડાઉનમા કાયદાના નિષ્ણાતો દ્વારા કાયદાની સાચી સમજ આપવાનુ ફેસબુક લાઈવ અભિયાન : સુરત સહિત રાજ્ય ના જાણીતા કાયદાવીદો દ્વારા રોજ સાંજે પાંચ વાગ્યે ફેસબુક ઉપર લાઈવ માહિતીનો ખજાનો
સુરત, તા. 12 : વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરાના મહામારીના લીધે લોકડાઉન અમલમાં છે.તેમજ હાલ ની પરિસ્થિતિ જોતા લો કોલેજો પણ ક્યારે રાબેતા મુજબ ખુલશે તેના વિશે પણ કઈ કહી શકાય તેમ નથી.તેથી કાયદા ના વિદ્યાર્થીઓ અને વકીલ મિત્રોને ઘર બેઠા કાયદા વિશેની જરૂરી માહિતી મળી રહે તે હેતુથી વકીલોના કાયદા મિત્ર ગ્રુપ દ્વારા ઓનલાઇન વેબીનાર નું આયોજન કરવામાં આવી રહ્યું છે.આ Facebook Live Webinar નો લાભ વિદ્યાર્થીઓ સહિત સામાન્ય લોકો ને પણ મળી રહ્યો છે.
ઘરમાં બેઠાં બેઠાં પણ લોકપયોગી કાર્ય કરવાની ખેવના રાખતા વ્યક્તિ વિશેષો અને બુધ્ધિજીવી માનવીઓ સતત કાર્યરત અને ચિંતન શીલ રહેતા હોય છે.આવીજ વિશિષ્ટ ખેવના રાખીને કાયદા મિત્ર ગ્રૂપના સંચાલન કમિટીએ કાયદા નિષ્ણાતો દ્વારા નવતર અભિગમ અપનાવીને કાયદાની સાચી સમજ આપી જાગૃતિ લાવવા માટે ઓનલાઈન માર્ગદર્શન આપવા માટે પ્રેરણાત્મક અભિયાન શરૂ કરવામાં આવેલ છે.’ ઘરે રહો સુરક્ષીત રહો ‘ એવા સુત્ર અને સુચનનુ પાલન કરતા કરતા ઘરે બેઠાં બેઠાં પણ ઘણી બધી વિવિધતા સાથે લોકોપયોગી કાર્યો કરી શકાય છે.લોકડાઉનના સમયગાળામાં નવતર આયોજન થકી અવનવી પ્રવૃત્તિઓના માધ્યમથી હકારાત્મક દ્રષ્ટિકોણ ઉજાગર થઇ રહેલ છે.
લોકડાઉનમાં ઘર બેઠા કાયદાની પ્રાથમિક સમજ સાદી અને સરળ ભાષામા ફેસબુક લાઈવ દ્વારા ગુજરાતના જુદા જુદા શહેરોના કાયદાના નિષ્ણાત જાણકાર દ્વારા દરરોજ સાંજે પાંચ વાગ્યે આપવામાં આવી રહેલ છે. ગત તારીખ ૨૯ મી માર્ચ ના રોજથી કાયદા મિત્ર ગૃપ નેજા હેઠળ જુદા જુદા વિષયો અને મુદ્દા પર ફેસબુક લાઈવના માધ્યમથી ચર્ચા દ્વારા અજ્ઞાનતા દૂર કરવાનું ઉમદા અને અનોખુ કાર્ય કરવામાં આવ્યું છે.કાયદા ક્ષેત્રમાં સૌ પ્રથમવાર જ પ્રાયોગિક ધોરણે સોશ્યલ મીડિયા દ્વારા બહોળા પ્રમાણમાં લોકો સાચી સમજ વિનામૂલ્યે મેળવી શકે તે માટે કાયદા નિષ્ણાતો દ્વારા નવતર પ્રયાસ કરાયો છે.પ્રથમ તબક્કામાં એક હજારથી વધુ લોકો દરરોજ સાંજે પાંચ વાગ્યે જુદા જુદા વિષયો સંદર્ભે કાયદાના નિષ્ણાત વ્યક્તિઓનું ફેસબુક લાઈવ જોઈ કાયદાઓની અગત્યની જોગવાઈઓ અને સમજ પ્રાપ્ત કરી રહેલ છે.લોકડાઉનમા પણ લોકપયોગી કાર્ય કરવાના અભિગમને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.તેમજ ફેસબુક લાઈવ દરમિયાન કોમેન્ટ દ્વારા નવતર પ્રયાસ ને બિરદાવવામાં આવેલ છે.કાયદા મિત્ર ગૃપ ની સંચાલન કમીટીના સુસંગત વિચારો અને કાર્ય ક્ષમતાથી રોજબરોજ નિષ્ણાત વક્તાઓ નિયમિત ઉપસ્થિત રહીને વિવિધ વિષયોના વક્તવ્ય આપી રહેલ છે.
લોકડાઉન સમયગાળામાં છેલ્લા બે અઠવાડિયાથી દરરોજ પાંચ વાગ્યે કાયદાકીય જ્ઞાન ધારાનું રસપ્રદ વક્તવ્ય આપનાર નિષ્ણાતોનુ લાઇવ માર્ગદર્શન સોશ્યલ મીડિયા ના માધ્યમથી લોકો મેળવી રહ્યા છે.ફેસબુક લાઈવ માધ્યમથી આયોજિત વેબીનારમા પ્રારંભિક તબક્કામાં પ્રથમ પાંચ વક્તા તરીકે કાયદા મિત્ર ગૃપ કમીટીના સભ્યોએ ક્રમશઃ વક્તવ્ય આપ્યું હતું ત્યારબાદ જાણીતા અને સિનિયર ધારાશાસ્ત્રીઓ જેવા કે યોગેશભાઈ રવાણી એડવોકેટ (ગુજ.હાઈકોર્ટ),અનિષ ખ્યાલી એડવોકેટ સુરત,બચુભાઇ પ્રજાપતિ એપીપી વેરાવળ,ભરતભાઇ સોલંકી એપીપી સુરત,મનીષભાઈ દેસાઈ એડવોકેટ સુરત, જતીનભાઈ ગાંધી એડવોકેટ સુરત શ્રેયસ દેસાઈ એડવોકેટ સુરત,નજમુદ્દીન મેઘાણી એડવોકેટ સુરત, બી.એમ.ગુપ્તા એડવોકેટ અમદાવાદ પોત પોતાના ફેસબુક એકાઉન્ટથી લાઈવ થઈને દરરોજના ક્રમ મુજબ સાંજના પાંચ વાગ્યે વક્તવ્ય આપ્યું છે.તેમજ આવનારા દિવસોમાં શરદ પી.શાહ એડવોકેટ મહેસાણા,કિરીટભાઈ પાનવાલા એડવોકેટ સુરત,જી.એમ. પટેલ તથા પી.એન.પરમાર સર DGP ભરૂચના ઓ પણ એમના Facebook Account ઉપર થી Live રહી લો સ્ટુડન્ટસ તથા વકીલ મિત્રો ને કાયદા વિશે જરૂરી માહિતી આપશે.


