– હવે નૈતિકતાના ધોરણે મંત્રી પદેથી રાજીનામુ આપવુ પડે અથવા ૬ માસમાં ફરી ધારાસભ્યપદે ચૂંટાવવુ પડે : ભુપેન્દ્રસિંહ હવે સુપ્રિમના દ્વાર ખટખટાવશે
ધોળકાની ચૂંટણી રદ્દ કરવાના ચુકાદાના અમલ સામેની સ્ટેની માંગણી હાઈકોર્ટે ફગાવ્યાનું જાણવા મળે છે.હવે નૈતિકતાના ધોરણે મંત્રી પદેથી રાજીનામુ આપવુ પડે અથવા ૬ માસમાં ફરી ધારાસભ્યપદે ચૂંટાવવુ પડે.ભુપેન્દ્રસિંહ હવે સુપ્રિમના દ્વાર ખટખટાવશે.અરજદાર કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડના એડવોકેટ મજમુદાર કહે છે કે ચૂંટણી અધિકારીએ મુકત અને ન્યાયી ચૂંટણી કરાવવી જોઈએ તેવો આ ચુકાદાનો મેસેજ છે.આ એક ઐતિહાસિક ચુકાદો છે