રાજ્યમાં લોકડાઉન 4.0 પહેલા સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યમાં રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા શરૂ થશે.એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ શરૂ થશે,ઓરેન્જ ઝોન જિલામાંથી ગ્રીન ઝોન જિલ્લામાં બસ જશે નહી.
રેડ ઝોન સિવાય ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં એસટી સેવા શરૂ થશે
ઓરેન્જ ઝોન જિલ્લામાંથી બીજા ઓરેન્જ ઝોન જિલ્લામાં જ બસ અવર જવર કરશે.ગ્રીન ઝોન જિલ્લામાંથી બીજા ગ્રીન ઝોન જિલ્લામાં બસ અવર જવર કરી શકશે.બે ગ્રીન ઝોન જિલ્લા વચ્ચે રેડ ઝોન જિલ્લા હશે તો બસ પસાર નહી થાય અને રેડ ઝોન જિલ્લામાંથી બસ અવર જવર નહી કરી શકે.
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં કોઈ ફેર પડ્યો નથી
ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં કોઈ ફેર પડ્યો નથી.ગુજરાતમાં કોરોના સંક્રમણનો આંક 9 હજારને નજીક પહોંચી ગયો છે.તો મોતનો આંક પણ 537 થયો છે.ગુજરાતમાં છેલ્લા 12 દિવસોમાં 4509 કેસ નોંધાયા છે.આ મહિનાના પ્રારંભ અગાઉ એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં 4395 કેસ નોંધાયા હતા.જેની સામે મે મહિનાના 12 દિવસમાં એથી પણ વધારે કેસ નોધાયા છે.એપ્રિલ સુધીના દિવસો પર મે મહિનાના 12 દિવસ ભારે પડ્યો છે. ગુજરાતમાં મે મહિનાના 12 દિવસો સુધીમાં કુલ 8904 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.અર્થાત ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 4500 કેસ નોંધાયા છે.
જે ડબલ કરતાં પણ વધુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 4500 કેસ નોંધાયા છે
ગુજરાતમાં સાજા થનારા લોકોનો આંક સાંભળતા આપણને હાશકારો થાય પરંતુ જો છેલ્લા 12 દિવસના કોરોના પોઝીટીવનો આંક સાંભળીએ તો ચિંતા પણ એટલી જ કરાવે તેમ છે.ગુજરાતમાં અત્યાર સુધી ડિસ્ચાર્જ થયેલા કેસો કરતાં પણ નવા નોંધાયેલા કેસો વધુ છે.ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 4500 કેસ નોંધાયા છે તો અત્યાર સુધીમાં 3246 લોકો સાજા થયા છે.રાજ્યમાં કોરોના સંક્રમણના આંક તો 300થી નીચે આવતા નથી એ પણ હકિકત છે. ગુજરાતમાં 9 હજાર નજીક પહોંચી ગયા એ પણ એટલી જ સત્ય હકિકત છે.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 362 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 24 લોકોના મોત પણ થયા છે.આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંક 8904 પર પહોંચી ગયો છે.જોકે,આજે રાજ્યમાં સૌથી વધારે 446 લોકો સાજા થયા છે જેથી તેમને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.


