વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કાર્યકારી ડિરેકટર ડો.માઈકલે જે રિયાને બુધવારે કહ્યું કે,એચઆઈવી સંક્રમણની જેમ જ કોરોના વાયરસ દુનિયામાં હંમેશા રહેનારો વાયરસ બની શકે છે.આ વાયરસ કયારેય પણ નહીં જાય.એક હેલ્થ ઇમર્જન્સીના કાર્યક્રમ દરમિયાન તેમણે મીડિયાને કહ્યું,આ વાયરસ આપણા સમુદાયોમાં માત્ર એક અન્ય સ્થિર વાયરસ બની શકે છે અને બની શકે કે આ વાયરસ કયારેય પણ ખત્મ ન થાય.એચઆઈવી પણ હજુ સુધી ખત્મ નથી થયો.
ડો.રિયાને કહ્યું કે,તે હાલમાં બીમારીઓની તુલના નથી કરી રહ્યા પરંતુ તેમને લાગે છે કે આપણે વ્યાવહારિક બનવું પડશે.તેમણે કહ્યું,મને નથી લાગતું કે કોઈપણ એ જણાવી શકે કે આ બીમારી કયારે ખત્મ થશે.કોરોના વાયરસને રોકવા માટે લાગેલ પ્રતિબધં હટાવવા હાલમાં ઠીક નથી,કારણ કેસ કેસ હજુ પણ વધી રહ્યા છે.જો પ્રતિબધં હટશે તો વાયરસ મોટા પાયે ફેલાશે,માટે આગળ પણ લોકડાઉન વધારવાની સંભાવના છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીએ કહ્યું,તમે રોજ કોરોના સંક્રમિતોની સંખ્યાને ઓછામાં ઓછી રાખી શકો છો તો વાયરસને સમાજમાંથી સમુદાયમાંથી દૂર કરી શકો છો.ત્યારે તમારે લોકડાઉન ખોલવું જોઈએ.તેનાથી વાયરસના ફેલાવવાનું જોખમ ઓછું થઈ જશે.જો તમે આવી પરિસ્થિતિઓમાં લોકડાઉન અથવા પ્રતિબધં હટાવો છો તો વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે.
કોવિડ-૧૯ની વેકસીનને લઈને તેમણે કહ્યું,અમારો ટાર્ગેટ આ વાયરસને ખત્મ કરવાનો છે,પરંતુ તેના માટે વેકસીન બનાવવી પડશે,જે ખૂબ જ પ્રભાવશાળી હશે.તેને આપણે બધાને સાથે મળીને બનાવવાની છે અને તેનો ઉપયોગ બધાએ કરવાનો છે