By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા સહીતની આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા સહીતની આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા
AhmedabadBusinessGeneral

સોમવારથી કન્ટેઇન્મેન્ટ સિવાયના વિસ્તારોમાં વેપાર ધંધા સહીતની આર્થિક પ્રવૃત્તિને છૂટની શકયતા

HM News
Last updated: 15/05/2020 1:08 PM
HM News
5 years ago
Share
SHARE

– રેડ,ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કયા વિસ્તારમાં કેવી આર્થિક પ્રવૃતિને છુટ આપવી તેની કેન્દ્રને રજૂઆત મોકલશે : ગુરૂવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને નીતિનભાઇની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં સમગ્ર રાજયની સમીક્ષા કરાઇ

અમદાવાદ, તા.૧૫: દેશભરમાં સોમવારથી લોકડાઉન-૪ નવા રૂપરંગ સાથે લાગુ થવા જઇ રહ્યું છે ત્યારે કોરોના વાયરસથી સંક્રમિત ગુજરાતના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં કેવા પ્રકારની આર્થિક પ્રવૃતિઓને છૂટછાટ મળવી જોઇએ એની રજૂઆત કેન્દ્રને કરવામાં આવનાર છે.ગુરૂવારે બપોરે મંત્રી નિવાસ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ,ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સમગ્ર રાજયની કોરોનાના સંક્રમણના વ્યાપ અને વિસ્તારની સમીક્ષા કરી એક અહેવાલ તૈયાર કરાયો છે.

લોકડાઉન-૩ના અમલ વખતે ગુજરાત સહિત દેશભરમાં ગ્રામીણ અર્થતંત્રને ધીમે ધીમે ગતિ આપવા માટે કેટલાક વ્યવસાય,વેપાર અને ધંધાને છુટ આપવામાં આવી હતી.એમાં કૃષિ પ્રવૃત્તિ ઉપરાંત જાહેર બાંધકામના કામકાજ શરૂ કરાયા છે.રાજયમાં અંદાજે ૭૦ ટકા વિસ્તારોમાં આવી પ્રવૃત્ત્િ।ને સોશીયલ ડિસ્ટન્સિંગ સહિત માનવીય સલામતીને ધ્યાનમાં રાખી શરૂ કરવાના પ્રયાસ થયા છે,તેમ કહી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે,હવે જયારે કોરોનાના વાયરસની સ્થિતિ છે ત્યારે ધીમે ધીમે અર્થતંત્રને ગતિ મળે એવી દિશામાં વિચારવું પડે એમ છે.

અમદાવાદ,વડોદરા,સુરત,ગાંધીનગર અને ભાવનગરને બાદ કરતાં આપણે અત્યાર સુધીમાં રાજયના જુદા જુદા વિસ્તારોમાં કામકાજ શરૂ કરાવ્યા છે.૭૦ ટકા ગુજરાતના વેપાર,ધંધા,એપીએમસી,મોટા બજારોની પ્રવૃત્તિ શરૂ થઇ છે.હવે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા અને કેવા પ્રકારની આર્થિક પ્રવૃત્તિને છુટછાટ આપી શકાય તેની ભલામણ માટે સરકારની ઉચ્ચસ્તરીય કમિટીની આજે બપોરે મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક મળી રહી છે.આ બેઠકમાં ચર્ચા વિચારણા કરી કેન્દ્ર સરકાર લોકડાઉન-૪નો અમલ કરવાની જાહેરાત કરે એમાં ગુજરાતની ભલામણોનો અમલ થાય એ દિશામાં આપણે રજૂઆત કરવાના છીએ.

મોદીનું ‘બખ્તરિયું’ વિમાન આજે દિલ્હી આવશે, 8000 કરોડમાં બનેલા આ વિમાનનો એક કલાકનો ખર્ચ રહેશે 1.30 કરોડ
ઉદ્ધવ ઠાકરે એ રાજીનામું આપીને ભૂલ કરી, અવિશ્વાસ મત રદ થઈ જાત : સુપ્રીમ
એશિયામાં કોરોના ફરી મચાવશે તબાહીનું તાંડવ : જાપાનમાં હડકંપ : એક જ દિવસમાં 500 પોઝીટીવ કેસ
ઈરાનના જાસૂસે જ ઈઝરાયલને નસરલ્લાહના ગુપ્ત ઠેકાણાનો ભાંડો ફોડી દીધાના અહેવાલ
એકનાથ શિંદેને મળી પંઢરપુરમાં પગ ન મૂકવા દેવાની ચેતવણી
Share This Article
Facebook Email Print
Previous Article ઈરાકમાં આતંકવાદી સંગઠન ISIS. દ્વારા એક પરિવાર પર હુમલો, 6 ની નિર્મમ હત્યા
Next Article ચીન પરની નિર્ભરતા ખતમ કરો : અમેરિકન કંપનીઓને ચીનમાંથી પછી બોલાવી લ્યો : અમેરિકન કોંગ્રેસમેન થોમ ટીલિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up