RSS નેતા ચન્દ્રકાંતની હત્યામાં સામેલ હિઝબુલ આતંંકીઓ ઠાર

242

જમ્મુ : ડોડા જીલ્લામાં સેના સાથે થયેલ અથડામણમાં હિઝબુલના બે આતંકીઓ ઠાર થયા છે.એન્કાઉન્ટરમાં એક જવાન શહિદ થયેલ.ઠાર થનાર આતંકી તાહિર ઉર્ફે ઉકાબ ગયા વર્ષે કિશ્તીવાડમાં થયેલ સંઘ નેતા ચન્દકાંત શર્માની હત્યામાં સામેલ હતો.જમ્મુના આઇજીપી મુકેશસિંહે જણાવેલ કે હિઝબુલના આતંકી તાહિર અહમદ બટનું ઠાર થવું મોટી સફળતા છે.તે પુલવામાંનો રહેવાસી હતો.હવે ડોડાને આતંકવાદ મુકત કહી શકાય.પાંચ કલાક ચાલેલ એન્કાઉન્ટરમાં મોટી માત્રામાં હથીયાર પણ મળ્યા હતા.

Share Now