[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરતમાં ૨૫ ટકા હીરા યુનિટો ચાલુ થઇ ગયા પરંતુ કારીગરોની અછત

[updated_date] [post_views]

Table of Content

– ડાયમન્ડ સિટીમાં ઉધોગકારોએ કારખાના શરૂ કર્યા,સુરતની ખાસિયત છે કે સંકટને ઝડપથી મિટાવી લોકો કામે લાગી જાય છે,લોકડાઉનમાં ગયેલા પરપ્રાંતના કારીગરો પાછા આવી રહ્યાં છે

સુરત : કોરોના સંકટનો સામનો કરી રહેલા ડાયમન્ડ સિટી સુરતનું હીરાબજાર ફરીથી ઉભું થઇ રહ્યું છે પરંતુ પરપ્રાંતમાંથી આવેલા કારીગરો પાછા જતા રહેતાં કારીગરોની અછત પ્રવર્તી રહી છે,આમ છતાં ૧.૫૦ લાખ કારીગરોએ કામ શ કરી દીધું હોવાના અહેવાલ પ્રા થયા છે.

રાજ્યના ઉધોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે પ્લેગમાં પણ સુરતની આવી હાલત હતી.સુરતમાં પૂર આવ્યું ત્યારે તે પૂર્ણ તબાહ થઇ ચૂકયું હતું અને હવે કોરોનામાં ફરી એકવાર સુરત પિસાયું છે પરંતુ વેપારી અને ઉધોગજૂથના મકમક મનોબળના કારણે હવે સુરત કોરોના સંક્રમણ વચ્ચે ફરીથી બેઠું થઇ રહ્યું છે.તેમણે જણાવ્યું હતું કે હીરા ઉધોગના અગ્રણી સંગઠનોએ એક મહિના સુધી રફ હીરાની આયાત નહીં કરવા માટે હીરાના ઉધોગકારોને અપીલ કરી છે.સુરતમાં ધીમે-ધીમે હીરાના યુનિટો કાર્યરત થઇ રહ્યા છે.અત્યાર સુધીમાં ૧.૫૦ લાખ રત્નકલાકારો કામ પર આવી ગયા છે.જે રત્નકલાકારો વતનમાં જતા રહ્યા હતા તેઓ પણ હવે પરત ફરી રહ્યા છે તે પ્રોત્સાહક બાબત છે.

સુરતમાં ૨૫ ટકા હીરા યુનિટો ચાલુ થઇ ગયા છે અને સરકારના તમામ નિર્દેશોનું પાલન કરવામાં આવે છે.અનેક કારીગરો પરત આવવા લાગ્યા છે અને ૨૦ દિવસમાં બીજા રત્નકલાકારો પરત આવે તેવી આશા રાખવામાં આવી છે.જો કે સુરતના ઉધોગકારો ૩૦મી જૂન સુધી સ્વૈચ્છિકરીતે રફ હીરાની આયાત કરવાના નથી.અત્યારે રફ ડાયમન્ટના ભાવ સ્થિર છે.વિશ્વની કોઇ કંપનીએ ભાવમાં ઘટાડો કર્યેા નથી તે સુરતના બજાર માટે પ્લસપોઇન્ટ છે

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles