By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વલસાડ તિથલ રોડ પર રામનિવાસ તોડતી વખતે છત પડતા મજૂરનું મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ તિથલ રોડ પર રામનિવાસ તોડતી વખતે છત પડતા મજૂરનું મોત
GeneralSouth Gujarat

વલસાડ તિથલ રોડ પર રામનિવાસ તોડતી વખતે છત પડતા મજૂરનું મોત

HM News
Last updated: 08/06/2020 8:34 AM
HM News
5 years ago
Share
SHARE

વલસાડ,08 જૂન : વલસાડ જિલ્લાના તિથલ રોડ પર સો વર્ષ જૂનું મકાન તોડવાની કામગીરી દરમિયાન મજૂરો રામનિવાસ તોડી રહ્યા હતા,ત્યારે છતનો એક તરફનો હિસ્સો મજુર પર નીચે ધડાકાભેર આવી પડતાં એક મજુરનું દબાઈ જતા ઘટનાસ્થળે મોત થયું છે,જ્યારે એકને ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ 108 એમ્બ્યુલન્સ પાલિકા તેમજ પોલીસના કર્મચારીઓની ટીમ ઘટનાસ્થળે તુરંત પહોંચી હતી અને કાર્યવાહી શરૂ કરી હતી.વલસાડના તિથલ રોડ ઉપર આવેલા 100 વર્ષ કરતા પણ અત્યંત જૂનું અને જર્જરિત મકાન “રામ નિવાસ” જે આનંદભાઈ ઠાકોરભાઈ દેસાઈના નામે છે અને વર્ષોથી મકાન બંધ અને જર્જરિત હોવાને કારણે અહીં આગળ કોઈપણ કાર્યવાહી કરતું નહોતું,પરંતુ અત્યંત જૂનાં મકાનોને તોડી પાડવા માટે પાલિકા વિભાગ દ્વારા અનેકવાર મકાનના માલિકને નોટિસ પણ આપવામાં આવી હતી.પરંતુ તેમના દ્વારા કોઇ કામગીરી કરાઇ ન હતી. જોકે છેલ્લા બે દિવસથી મકાન માલિકે આ મકાનને તોડી પાડવા માટે કોન્ટ્રાક્ટર ફૈઝલ નામના ઈસમને કામગીરી આપી હતી અને આ ફેડરલ દ્વારા કપરાડા વિસ્તારના કેટલાક મજૂરોને લાવીને મકાનને તોડવાની કામગીરી ચાલી રહી હતી.

તે દરમિયાન છત ઉપર ત્રણ મજૂરો કામ કરી રહ્યા હતા અને અચાનક જ મહત્વનો ભાગ નીચે આવી પડતાં છતની નીચે ગુલાબ દેવજી અસરિયા નામના મજૂરનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને માથાના ભાગે ઇજાઓ થતા તાત્કાલિક સારવાર માટે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અચાનક બનેલી આ ઘટનાને પગલે પોલીસ વિભાગ વિભાગ નગરપાલિકાની ટીમ નગરપાલિકા ચીફ ઓફિસર સહિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મહત્વનું છે કે,આ સો વર્ષ કરતાં પણ જૂની બિલ્ડિંગને તોડી પાડવા માટે બાજુમાં જ રહેતા રહીશ દ્વારા વારંવાર 2017 થી કલેકટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ મકાન માલિક તેમજ અન્ય અનેક લોકોએ વહીવટીતંત્રમાં લેખિત રજૂઆતો પણ કરી હતી,પરંતુ તે રજૂઆતો પર કોઇએ ધ્યાન ન આવતા આખરે આ મકાને આજે એક વધુનો જીવ લીધો છે.

રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત બનતાં આઇપીએલની બાકીની મેચ ગુમાવશે
ચમત્કારને નમસ્કાર : ડોનાલ્ડ ટ્રમ્પએ આપેલી ધમકીની અસર : અમેરિકા સાથે કરાર કરવા ચીન તૈયાર
ભાવનગર મનપાના ઇતિહાસમાં પ્રથમવાર એક દિવસમાં રૂપિયા 9 કરોડ વેરાની આવક
રેલ્વે યાત્રી માટે ખુશખબર.. લોકડાઉન બાદ ૧૫મીથી દોડવા લાગશે મોટાભાગની ટ્રેનો
ભરૂચ ભાજપના અગ્રણી મહિલા નેતાની લવસ્ટોરીની ભારે ચર્ચા !
Share This Article
Facebook Email Print
Previous Article પારડી હાઇવે પર પથ્થરોના કોથળાની આડશ, ગમે ત્યારે દુર્ધટના સર્જાશે
Next Article વલસાડ એકલારાની વાડીમાંથી દારૂ સાથે એક ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up