શિવસેનાનાં મુખપત્ર સામનામાં કોંગ્રેસનાં નેતાઓને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના પછી એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે કદાચ મહારાષ્ટ્ર સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યું નથી.હવે સામનાનાં સંપાદકીય મુદ્દે શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કોંગ્રેસનાં નેતાઓને કોઈ ફરિયાદ હોય તો તેઓ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી શકે છે.આ સાથે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં પહેલેથી જ કોરોનાવાયરસ અને ચક્રવાત જેવા મોટા સંકટનો સામનો કરવો પડી રહ્યો છે.
સમાચાર એજન્સી અનુસાર સંજય રાઉતે કહ્યું, ‘મેં કેટલાક કોંગ્રેસ નેતાઓ, ખાસ કરીને અશોક ચૌવ્હાણનો ઇન્ટરવ્યૂં વાંચ્યો. જો તેમને કોઈ ફરિયાદ હોય તો તેમણે મુખ્ય પ્રધાન સાથે વાત કરવી જોઈએ. આ વાત વહીવટ અને સરકાર વચ્ચેનાં સંઘર્ષ વિશે નથી. તેવી જ રીતે, હાલમાં મહારાષ્ટ્ર પર કોરોના અને ચક્રવાતનું મોટું સંકટ છે.તેમણે વધુમાં કહ્યું કે, ‘સીએમ ઉદ્ધવ ઠાકરેનો બધા કેબિનેટ મંત્રીઓ સાથે તાલમેલ ઘણો સારો છે.કોઈ પરેશાન નથી,બાલા સાહેબ થોરાટ અને અશોક ચૌવ્હાણ સાથે વાટાઘાટો થઈ રહી છે. રાજ્યમાં સંકટમાંથી બહાર આવતાની સાથે જ મુખ્યમંત્રી દરેકની વાત સાંભળશે.
જણાવી દઈએ કે,શિવસેનાનાં મુખપત્ર સામનામાં કોંગ્રેસનાં નેતાઓ અશોક ચૌવ્હાણ અને બાલા સાહેબ થોરાટને નિશાન બનાવવામાં આવ્યા છે.તેમાં લખ્યું છે, ‘કોંગ્રેસ પાર્ટી સારી કામગીરી કરી રહી છે,પરંતુ સમય-સમય પર જૂની પથારી કુર્કુરનો અવાજ સંભળાવે છે.પથારી (કોંગ્રેસ) જૂની છે પણ તેનો વારસો ઐતિહાસિક છે.આ જૂની પથારી પર ઘણા લોકો કરવટ બદલતા રહે છે,તેથી જ તે કુરકુર કરે છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આઘડી સરકારમાં આવા કુરકુરાહટને સહન કરવા તૈયાર રહેવું જોઈએ.કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ બાલા સાહેબ થોરાટનું કુરકુરાહટ સંયમિત છે.એક જ પથારી પર બેઠેલા અશોક ચૌવ્હાણે પણ ઇન્ટરવ્યું આપ્યા હતા અને તે જ સંયમથી કુરકુરાહટ કર્યો હતો.


