નવી દિલ્હી : ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામી આખાબોલા અને વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે.સ્વામી અનેક વખત પોતાના જ પક્ષ પર નિશાન સાધી ચૂક્યા છે.ગાંધી પરિવારના કટ્ટર વિરોધી મનાતા સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે એક ટ્વીટ કરી,જેનાથી હોબાળો મચવાની સંભાવના છે.તેમણે ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન તાકતા દેશહિતમાં રાજકીય પક્ષોને એક સૂચન કર્યું છે.
સુબ્રમણ્યમ સ્વામીએ રવિવારે ટ્વીટ કરી, ‘હું પ્રબુદ્ધ રાષ્ટ્રહિતમાં બે પક્ષની વ્યવસૃથાનું સૂચન કરૂં છું – 1. ભાજપ, 2. કોંગ્રેસ, જે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (એનસીપી), તૃણમૂલ કોંગ્રેસ, જગન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસ અને જૂની કોંગ્રેસના જોડાણથી બનેલી હોય,જેમાં ટીડીકે અને બુદ્ધુ બોતલ ગુંડા પીસી બીસી એમસી ન હોય.’ સ્વામીની આ ટ્વીટથી હોબાળો મચી ગયો છે.
સુબ્રમણ્યમ સ્વામી ટીડીકે શબ્દનો ઉપયોગ સોનિયા ગાંધી માટે કરે છે અને બુદ્ધુ – રાહુલ ગાંધી માટે તથા બોતલ એટલે કે પ્રિયંકા ગાંધી વાડ્રા,પીસી – પી. ચિદમ્બરમ, બીસી શબ્દનો ઉપયોગ કાર્તિ ચિદમ્બરમ માટે કરે છે.તેમના આ શબ્દો અંગે સુબ્રમણ્યમ સ્વામીએ પહેલાં પણ અનેક ટ્વીટ કર્યા છે.
આ સાથે સ્વામી ગાંધી પરિવાર વિના જ મૂળ કોંગ્રેસમાંથી જૂદા થઈ અલગ પક્ષ બનાવનારા સૃથાનિક પક્ષોને ફરીથી એક થવા માટે સંકેત કરે છે.આ દૃષ્ટિએ તેઓ ગાંધી પરિવાર વિના જ કોંગ્રેસને રાજકીય વિકલ્પ તરીકે જૂએ છે.અગાઉ નેપાળ અને ભારત વચ્ચે સરહદ વિવાદ અંગે સ્વામીએ ભારતીય વિદેશ નીતિને નવેસરથી મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરી હતી, ભારતીય ક્ષેત્ર માટે નેપાળ કેવી રીતે વિચારી શકે છે? તેમની ભાવનાઓને કેટલી ઠેસ પહોંચાડાઈ છે કે તેઓ ભારત સાથે સંબંધ તોડવા માગે છે? શું આ આપણી નિષ્ફળતા નથી? વિદેશ નીતિને ફરીથી સૃથાપિત કરવાની જરૂર છે.