નવીદિલ્હી તા.1 : વસ્તુ તેમજ સેવાકર (જીએસટી)ને ભારતનો સૌથી મોટો અપ્રત્યક્ષ કર સુધારો માનીને 1 જૂલાઈ 2017 (30 જુનની મધરાત બાદ) લાગુ કરાયો હતો, આજે તેને લાગુ થયે 3 વર્ષ વીતી જવા છતાં આ ‘સરલ’ કર વ્યવસ્થા સરળ બની નથી, જીએસટી જયારે લાગુ થયો ત્યારે માનવામા આવ્યુ હતુ કે તેના લાગુ થવાથી એક સરલ અને સમાન કર પ્રણાલીની શરૂઆત થશે પણ હજુ સુધી આ સંભવ નથી બન્યુ.જોે કે ત્રણ વર્ષમાં કેટલીક જટીલતાઓ ઘટી છે.
સરલ કર પ્રણાલી માટેની રીટર્ન ભરવાની પ્રક્રિયા જટીલ
હાલમાં જ શૂન્ય જીએસટી થવા પર માસિક રીટર્ન એસએમએસ દ્વારા જમા કરવાની સુવિધા શરૂ કરાઈ છે, તેમ છતાં રીટર્ન દાખલ કરવાની પૂરી વ્યવસ્થા સરલ નથી.આનાથી નાના વેપારીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે.કર નિષ્ણાંતોનુ કહેવુ છે કે જીએસટી રીટર્ન વ્યવસ્થાને સરળ બનાવવાની જરૂરત છે. આથી કારોબાર કરવો સરળ બનશે.
રીટર્નમા સુધારાની મંજુરી અને નેટવર્ક બહેતર જરૂરી
નાના વેપારીઓનુ કહેવુ છે કે જીએસટીઆર-3 બી રીટર્નમા સુધારાની મંજુરી નથી,નાની ભૂલ પણ સુધારવી મુશ્કેલ છે.તેમા ફેરફારની જરૂર છે.
વારંવાર રેટ બદલવાથી વેપારીઓ પરેશાન
જીએસટીને લાગુ થયા ત્રણ વર્ષ થયા છે,પરંતુ હજુ સુધી જીએસટી રેટ સ્લેબમાં સતત ફેરફાર કરવામા આવી રહ્યા છે. આ મુશ્કેલીના કારણે વેપારીઓ ખૂબ જ પરેશાન છે.
ત્રણ વર્ષમાં ત્રણ નાણામંત્રીની જીએસટીમાં ભૂમિકા: જીએસટીના ત્રણ વર્ષ દરમ્યાન ત્રણ નાણામંત્રી રહ્યા છે.જીએસટીને લાગુ કરવામા અરૂણ જેટલીની મહત્વની ભૂમિકા રહી હતી.ત્યારબાદ પીયુષ ગોયલે કાર્યભાર સંભાળ્યો હતો. હાલ નાણામંત્રી નિર્મલા સીતારામન જીએસટીને બહેતર બનાવવાનુ કામ કરી રહ્યા છે.
કરચોરી રોકવામાં હજુ પણ સરકારને મુશ્કેલી
જીએસટીનો મૂળ ઉદેશ કર પ્રણાલીને સરલ કરીને કર ચોરી રોકવાનો હતો પણ હજુ સુધી તેમા સફળતા મળી નથી.હાલના દિવસોમાં પણ કરચોરીના મોટા કિસ્સાઓ બહાર આવ્યા છે. તેને રોકવા માટે ઈ-ઈનવોઈસ લાગુ કરવાની તૈયારી છે.


