જૂનમાં ઇ-વે બિલની સંખ્યા ૪.૨૭ કરોડ થઇ છે,જે માર્ચના ૪.૦૩ કરોડની તુલનામાં વધારે છે.ગૂડઝ એન્ડ સર્વિસિસ ટેકસ નેટવર્ક (જીએસટીએન)એ રવિવારે જણાવ્યું હતું કે,અનલોક ૧.૦ના છેલ્લા દિવસે ૩૦ જૂનના રોજ ઇ-વે બિલ્સની સંખ્યા ૧૮.૩૨ લાખ અને મૂલ્ય રૂા.૫૪,૫૦૦ કરોડ હતી. તે લોકડાઉનના શરૂ થયા પછીનો સૌથી મોટો આંકડો હતો.
આંતરરાય હેરફેર માટે કન્સાઇન્મેન્ટનું મૂલ્ય રૂા.૫૦,૦૦૦થી વધુ હોય તો રજિસ્ટર્ડ જીએસટી કરદાતાએ ઇ-વે બિલ જનરેટ કરવું પડે છે.તે આર્થિક પ્રવૃત્તિના મહત્વના ઇન્ડિકેટર્સ છે. જેમાં અનલોક ૧.૦ દરમિયાન મોટી રિકવરી જોવા મળી છે. સામાન્ય સ્થિતિમાં રોજના લગભગ ૨૦ લાખ ઇ-વે બિલ બનતાં હતાં.જોકે,લોકડાઉનના અમલ પછી તેમાં મોટો ઘટાડો નોંધાયો હતો. માર્ચમાં ઇ-વે બિલમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને ૨૫ માર્ચના રોજ એ આંકડો ઘટીને માત્ર ૫૦,૦૦૦ થયો હતો, જે લોકડાઉનના પ્રથમ દિવસે સૌથી નીચી સંખ્યા હતા. જોકે, સરકાર દ્રારા જાહેર કરાયેલી તબકકાવા રાહતો પછી ટ્રેન્ડ વૃદ્ધિ તરફી થયો છે અને સરકારના જણાવ્યા અનુસાર અનલોક ૧.૦ પછી ઇ-વે બિલની સંખ્યા સંપૂર્ણ રિકવર થવાની તૈયારીમાં છે. સરકારે વધુમાં જણાવ્યું હતું કે, અનલોક ૨.૦માં કાર્ગેાની અવરજવર વધશે, જે આર્થિક રિકવરી અને સ્થિરતા માટે પ્રોત્સાહક સંકેત છે. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના ગાળામાં માલસામાનની હેરફેર બિલકુલ અટકી ગઇ હતી. તેને લીધે જીએસટીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. જોકે, જૂન મહિનામાં જીએસટીની આવકમાં પણ મોટી વૃદ્ધિ થઇ છે.

