ગુજરાતમાં કોરોના અડિંગો જમાવ્યો છે.અન્ય રાજયોની જેમ ગુજરાતમાં પણ કોરોનાના કેસો રોજેરોજ વધી રહ્યા છે.ભાજપ-કોંગ્રેસના નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે.એક બાજુ કોંગ્રેસના નેતા ભરત સોલંકીની તબિયત પણ કોરોનાના કારણે નાજુક બની છે.તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય વી.ડી ઝાલાવડીયા પણ કોરોનાની ચપેટમાં આવ્યા હતા.ત્યારે આજે ભાજપના રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર પણ કોરોનાથી સંક્રમિત થયા છે.
રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકરને કોરોના થયો છે જેના પગલે તેમને અમદાવાદની યુ.એન.મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે મંત્રીઓ પોતાના મત વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે આ ઉપરાંત પાણી સંકુલમાં પણ મુલાકાતીઓથી માંડીને અધિકારીઓ સાથે સતત એમની મુલાકાત થતી હોય છે અને આ દરમિયાન કોરોનાનું સંક્રમણ થાય છે.