[weather_data]
Breaking News
TRENDING NEWS

આર્થિક સુધારાઓ બાબતે મોદીએ 500થી વધુ બેઠકો યોજી પરંતુ કોઈ નકકર નિર્ણય નહીં

[updated_date] [post_views]

Table of Content

નવી દિલ્હી તા.23 : મોટા મહત્વના નિર્ણયો લેવાના બદલે અડચણો અને કોવિડ 19ની અસરો નિવારવાના હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક મહિનામાં અનેક ક્ષેત્રીય નિર્ણયો દ્વારા સુધારા આગળ ધપાવવાના ઈરાદાથી પચાસેક જેટલા પ્રેઝન્ટેશન અને સમીક્ષા બેઠકોમાં ભાગ લીધો હતો.

નિયમીત વાતચીત અને જાહેર કાર્યક્રમોના અભાવે વડાપ્રધાન દિવસ દરમ્યાન કેટલીય વર્ચ્યુલ વાતચીતમાં ભાગ લેવા સમય ફાળવી રહ્યા છે.સરેરાશ 10 વ્યક્તિઓની હાજરી સાથે બેઠકો 2 કલાક ચાલતી હોઈ,ઉચ્ચ અધિકારીઓએ 1500 માનવ કલાકો આવી બેઠકોમાં ગાળ્યા હતા.

કોરોના પછીના વિશ્ર્વમાં ટેકનોલોજી પ્રેરીત ટ્રાન્સફોર્મેશન માટે કેન્દ્રએ સાત મહત્વના ક્ષેત્રો અલગ તારવ્યા છે.રણનીતિમાં ભાગ તરીકે સરકાર પીપીપી મોડ પર ઉકેલ વિકસાવી રહી છે.આ સાત ક્ષેત્રોમાં ડીજીટલ પેમેન્ટ અને ફાઈનાન્સીયલ ઈનકલુઝન, ડીજીટલ હેલ્થ અને ન્યુટ્રીશન પણ સામેલ છે.

ઈન્ફ્રાસ્ટ્રકચર, હેલ્થથી માંડી ટેકસેશન સુધીના ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ, ગરીબ કલ્યાણલક્ષી નીતિઓ અને નાગરિકોનું જીવન સરળ બને તે સંબંધી મધ્યમ વર્ગ લક્ષી પહેલ બાબતે અનેક મીટીંગો યોજાઈ હતી.

વડાપ્રધાને બંદરો ખાતે જમીનના અસરકારક ઉપયોગ,પારદર્શિતા સુધારવા ફેસલેસ ટેકસ એસેસમેન્ટ,સ્થાનિક સરકાર કક્ષાએ રાજયની ક્ષમતા વધારવાના હેતુથી ટેકનોલોજીના ઉપયોગ,ગ્રામીણ વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણની પહોંચ વધારવી અને ડીબીટી સ્કીમના યુપીઆઈના વધદુ ઉપયોગ માટે વડાપ્રધાને હાકલ કરી હતી.

મહામારીના સંદર્ભમાં સુધારાઓ આગળ ધપાવવા નીતિ આયોગ, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ અને નાણા મંત્રાલય દ્વારા પ્રેઝન્ટેશન અપાયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે માટા સ્ટીમ્યુલસના બદલે કેટલાય સેકટરલ નિર્ણયો પાઈપલાઈનમાં છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles