[weather_data]
Breaking News
TRENDING NEWS

રામદેવનું શીર્ષાસન : એક સમયે કહ્યું હતું, આઇપીએલ અશ્લીલ છે

[updated_date] [post_views]

Table of Content

અમદાવાદ : બાબા રામદેવની પતંજલિ અત્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટી20 ક્રિકેટ ટુર્નામેન્ટના ટાઇટલ સ્પોન્સર બનવાની તૈયારી કરી રહ્યું છે પરંતુ આ જ બાબાએ થોડા વર્ષ અગાઉ ક્રિકેટને ભારતીય સંસ્કૃતિનું દુશ્મન ગણાવ્યું હતું.2012માં તેમણે ક્રિકેટને દુશ્મન ગણાવવાની સાથે સાથે તેમાં ચિયરલીડરની હાજરીને લઈને કહ્યું હતું કે આ રમત હવે અશ્લિલ બની ગઈ છે. તેમણે આઇપીએલને પણ અશ્લિલ કહી હતી.

એક વેબસાઇટના અહેવાલ મુજબ એ વખતે બાબા રામદેવે જણાવ્યું હતું કે ક્રિકેટને કારણે દેશમા જુગાર અને સટ્ટાનું પ્રમાણ પણ વધી ગયું છે.હવે આ જ બાબા રામદેવની કંપની પતંજલિ આઇપીએલને સ્પોન્સર કરવા માટે કરોડો રૂપિયાની બોલી લગાવવાની તૈયારી કરી રહી છે.ભારત અને ચીન વચ્ચે સરહદ પર થયેલા ઘર્ષણને કારણે ભારતમાં ચીની પ્રોડક્ટનો વિરોધ થઈ રહ્યો છે અને તેને કારણે ચીની કંપની વિવોએ આ વખતે આ ટી20 લીગથી અલગ થઈ જવાનો નિર્ણય લીધો છે.હવે નવેસરથી ટાઇટલ સ્પોન્સર માટે બોલી લાગશે અને તેમાં વિવિધ બ્રાન્ડ જોડાવા માટે તૈયારી કરી રહી છે ત્યારે પતંજલિના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે પણ આ માટે તૈયારી કરી રહ્યા છીએ.તેઓ પતંજલિની ભારતીય બ્રાન્ડને વિશ્વભરમાં પ્લેટફોર્મ મળી રહે તે માટે આઇપીએલનો પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરવા માગે છે.
બીસીસીઆઈએ રસ ધરાવતી કંપનીઓ પાસે અરજી મગાવી છે અને તે માટેની છેલ્લી તારીખ 14મી ઓગસ્ટ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles