ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગત સપ્તાહની મેઈડન સૌરાષ્ટ્ર મુલાકાતે પક્ષમાં જબરી ચર્ચા જગાવી છે અને કદાચ ગુજરાતમાં 30 વર્ષમાં પ્રથમ વખત કોઈ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા જે રીતે કાર્યકર્તાથી લઈને ગુજરાતના ટોચના નેતૃત્વ અંગે જે વિધ્ના કર્યા હતા તેનાથી શું પક્ષ એક નવા પાટીલ-વિજય રૂપાણી જૂથ વચ્ચે વહેચાઈ રહ્યું છે.
પાટીલની નિયુક્તિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હોવાની ભાજપના ટોચના રાજકીય વર્તુળોમાં ચર્ચા છે.પાટીલના મુખ્યમંત્રી વિજય રૂપાણી કરે તો પણ ટિકીટ નહી મળે તેવા વિધાનો તેમના જ હોમ ટાઉનમાં આવીને કર્યા તે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ પણ નારાજગી પેદા કરી ગયા છે તો બીજી તરફ પક્ષમાં જુથવાદ અંગે બોલતા જીલ્લા ભાજપના કાર્યક્રમમાં કોંગ્રેસમાંથી આવીને કેબીનેટમાં મંત્રી બનેલા કુવરજી બાવળીયા ભૂતકાળમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સ્પીચ ઓવર થઈને હવે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા ઉપરાંત જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને એક સમયે કોંગ્રેસના જ નેતા અને ભાજપના પુર્વ ધારાસભ્ય ભરત બોઘરા સહિતના નેતાઓ બેઠા હતા.
તેઓ ભણી નજર કરીને આ નેતાઓ ‘જૂથવાદ’ ચલાવે તો પણ તમો તેમાં સામેલ થતા નહી થતા નહી તેવા વિધાનો કર્યા છે તો હવે આ બન્ને નેતાઓએ વચ્ચે ‘ટેલીગ્રામ’ યુદ્ધ છેડાયુ છે અને આ સૌરાષ્ટ્ર મીડીયા પ્લેટફોર્મ પર બન્નેના ટેકેદારોને જોડવાની હરીફાઈ જેવી છે.સી.આર.પાટીલ એમ.પી.,ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકેના ટેલીગ્રામ જૂથમાં હતા.લખાય છે તે સમયે 55999 સભ્યો છે અને દરેક મિનીટે વધતા જાય છે તો મુખ્યમંત્રી વિજય રૂપાણી ફેન કલબમાં 62772 સભ્યો છે અને તેમાં પણ વધતા જાય છે બન્ને ગ્રુપમાં સભ્યોને પોતે જોડાવા ઉપરાંત 100 સભ્યોને જોડવા માટે કહેવાય છે.
સૌરાષ્ટ્ર ભાજપના નેતાઓમાં ભવિષ્યમાં પાટીલ, રૂપાણી જૂથ બની શકે છે. જો કે હાલ ભાજપના તમામ નેતાઓ પાટીલ મુલાકાત અંગે કોઈ ટીપ્પણી કરવા માંગતા નથી અને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા એ તો પાટીલ સાચા માર્ગે છે તેવું જણાવીને રસપ્રદ કોમેન્ટ કરી છે અને આગામી દિવસોમાં અનેકની વફાદારી સ્વીચ ઓન થઈ શકે છે.
હવે સૌની નજર પાટીલ કઈ રીતે સંગઠન નવ રચના કરે છે તેના પર છે અને તેમાં તેઓ ગ્રાસ-રૂટને કેવું મહત્વ આપે છે તેના પર છે.પાટીલે પક્ષના તમામ ટોચના નેતાઓને સપ્તાહમાં બે વખત કમલમમાં બેસવા અને જે રીતે તેઓ મોનેટરીંગ સીસ્ટમ સ્થાપશે તેવા સંકેત આપ્યા છે તેનાથી અનેક મંત્રીઓના ભવા ઉંચકાયા છે.પાટીલે પાયાના કાર્યકર્તાઓને વધુ મહત્વ આપવા અને પક્ષના નેતાઓને કાર્યાલયની નીયમીત મુલાકાત લેવા પણ જણાવ્યુ છે.
પક્ષના એક ટોચના સૂત્રના જણાવ્યું હતું કે જે રીતે થોડા સમયથી પક્ષમાં કોંગ્રેસના નેતાઓની બોલબાલા વધી છે.રાજયસભામાં એક બેઠક જીતવા કોંગ્રેસના આઠ ધારાસભ્યોને ખેડવીને હવે તેમને જીતાડવા માટે જે રીતે પક્ષના કાર્યકર્તાઓને કહેવાયું છે તેની સામેના વધેલા વિરોધને શાંત પાડવા છે.પાયાના કાર્યકર્તાઓનો મેસેજ અપાઈ રહ્યો છે. પાટીલ માને છે કે જે રીતે આયાતીઓને ચૂંટવા સામે પક્ષમાં અસંતોષ છે તેથી તેમની પ્રથમ પેટા ચૂંટણીમાં કલીન સ્વીપ કરવી સફળ નહી હોય અને તેથી તેઓ નેતાઓને ટાર્ગેટ કરીને કાર્યકર્તાઓને શાંત રાખવા માંગે છે પણ મોયાભાગના નેતાઓ હાલ ‘ચૂપ’ છે અને યોગ્ય સમયે તેઓ કોઈ એક તરફ જશે તેવા સંકેત છે.


