દેવામાં ડુબેલી એર ઈન્ડિયાના વિનિવેશ માટે બોલી લગાવવાની ડેડલાઈનમાં એકવખત વધારો કરવામાં આવ્યો છે.ચોથી વખત એવું થયું છે,જ્યારે સરકારે સમય સીમા વધારવાનો નિર્ણય કર્યો છે. જ્યારે વિનિવેશ માટે બોલી લગાવવાની અંતિમ તારીખમાં વધારો કરીને 30 ઓક્ટોબર સુધી કરવામાં આવી છે.આ પહેલા 31 ઓગષ્ટ સુધી તારીખ નક્કી કરવામાં આવી હતી.
ફરી એક વખત વધી બોલીની તારીખ
કોરોના સંકટના કારણે એક વખત ફરી સમય સીમામાં વધારો કરવામાં આવ્યો છે.કારણ કે હજુ એર ઈન્ડિયાની ભાગીદારી ખરીદવા માટે કોઈએ પણ ખાસ દિલચસ્પી દેખાડી નથી.સરકારને આશા છે કે આવનારા બે મહિનામાં એર ઈન્ડિયાનું વિનિવેશ થઈ જશે.સરકારને ખોટમાં ચાલી રહેલી એર ઈન્ડિયામાં પોતાની 100 ટકા ભાગીદારી વેચવા માટે પહેલી વખત 27 જાન્યુઆરીએ સુચના આપીને જાહેરાત પણ કરી હતી અને 17 માર્ચ સુધી બોલી મંગાવવામાં આવી હતી.
કેટલા કરોડનું છે દેવું
જો કે, સરકારના જણાવ્યાં પ્રમાણે એર ઈન્ડિયા એક્સપ્રેસની 100 ટકા ભાગીદારી વેચાઈ જશે.તે સિવાય એર ઈન્ડિયા અને એસએટીએસની જોઈન્ટ વેંચર કંપની એઆઈએસએટીએસમાં એર ઈન્ડિયાની 50 ટકા ભાગીદારી વેચવામાં આવશે.એર ઈન્ડિયાના મેનેજમેંટ કંટ્રોલ પણ બોલી જીતનારી કંપનીને મળી જશે.વેંચાણની શરતો પ્રમાણે ખરીદદારે એર ઈન્ડિયાના માત્ર 23,286.5 કરોડ રૂપિયાના દેવાની જવાબદારી લેવાની રહેશે. એરલાઈન ઉપર કુલ 60074 કરોડ રૂપિયાનું દેવું છે.એટલે કે 37,000 કરોડ રૂપિયાનું દેવાનો ભાર સરકાર પોતે ઉપાડશે.