ગુજરાત સહિત દેશ-દુનિયામાં કોરોનાનાં કાળની અનેક રીતે વ્યાપક માઠી અસરો નોંધવામાં આવી છે.વ્યાપકતા વચ્ચે જો ખાસ મઠી અસર જોવામા આવી હોય તો તે છે આર્થતંત્રને.અર્થતંત્રની બ્રેક કોરોનાનાં કારણે ચોટી ગઇ અને અનેક લોકો બેકાર બન્યા તે પણ વિદિત છે. કોરોના કાળ દરમિયાન રોજગારી અને આવક બંને બંધ થઈ ગઈ.
ધંધાધારીઓને ફટકો પડ્યો કારણે કે, આવક બંધ થઈ જતા લોકો પહેલા જેટલી ખરીદી માટે બહાર નથી આવી રહ્યા.કાંઈક આવી જ હાલત છે પ્રોફેશનલ્સની પણ છે.અને પાછલા લાંબા સમયથી કોર્ટનું કામકાજ બંધ છે ત્યારે જો ખાસ વાત કરવામાં આવે તો વકીલોની હાલત અને તેમા પણ નાના વકીલોની હાલત દયાનીય થતી જોવામાં આવી રહી છે.વકીલોની કોર્ટ પણ ઓનલાઈન ચાલી રહી છે ઘણા નાના વકીલો છે જેને લોક ડાઉનની અસર હજી નડી રહી છે.
આવા કપરાકાળમાં ગુજરાતની સંવેદનશીલ કહેવાતી સરકાર વકીલોને વ્હારે આવી છે, ભાજપ લીગલ સેલ અને વકીસ સંગઠનો દ્વારા સરકારને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકરની આત્મ નિર્ભર યોજના છે,જેમાં વકીલોને પણ લાભ આપવામાં આવે.સરકારે આ રજૂઆતને માન્ય રાખી છે,જેથી હવે રાજ્યના 85 હજાર વકીલોને તેમનો લાભ મળશે અને સસ્તા વ્યાજની 2.50 લાખ સુધીની લોન સરકાર આપશે .