By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કાલથી રણપ્રદેશમાં મહાસંગ્રામ : ચોગ્ગા-છગ્ગાની બોલશે રમઝટ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કાલથી રણપ્રદેશમાં મહાસંગ્રામ : ચોગ્ગા-છગ્ગાની બોલશે રમઝટ
GeneralNationalSports

કાલથી રણપ્રદેશમાં મહાસંગ્રામ : ચોગ્ગા-છગ્ગાની બોલશે રમઝટ

HM News
Last updated: 18/09/2020 5:21 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ તા. ૧૮ : આવતીકાલથી ભારતીય ક્રિકેટ બોર્ડની પ્રતિષ્ઠીત ઇન્ડિયન પ્રીમીયર લીગની ૧૩મી સિઝનનો યુએઇ ખાતે પ્રારંભ થઇ રહ્યો છે.દુનિયાભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોવિડ-૧૯ મહામારી વચ્ચે યોજાનારી આઇપીએલ ટુર્નામેન્ટ અગાઉની ટુર્નામેન્ટ કરતા ઘણી અલગ પ્રકારની હશે.આવતીકાલે આ ટુર્નામેન્ટનો પ્રારંભ થશે જેમાં પ્રથમ મુકાબલો મુંબઇ વિરૂધ્ધ ચેન્નઇ વચ્ચે રમાશે.

ગ્લેમરસ આઇપીએલ ટુર્નામેન્ટની આ સિઝન ફેન્સ અને ચિયરલિડર્સ વગર રમાશે. આ ટુર્નામેન્ટ ખાલી સ્ટેડીયમમાં રમાડવામાં આવશે.આવતીકાલે પ્રથમ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માર્ચ-૨૦૧૯ બાદ પહેલીવાર મેદાનમાં ઉતરશે.

આઇપીએલ યુએઇના ત્રણ શહેરો દુબઇ, અબુધાબી અને શારજાહમાં યોજાશે. ઉદ્ઘાટન સમારોહ ભારતીય સમય અનુસાર સાંજે ૭.૩૦ કલાકથી શરૂ થશે.

આઇપીએલ ટુર્નામેન્ટનો સર્વત્ર જબરો ક્રેઝ હોય છે.ક્રિકેટ રસિકોમાં આવતીકાલથી આઇપીએલની ફિવર છવાઇ જશે.અત્રે નોંધનિય છે કે પહેલા માર્ચમાં આ ટુર્નામેન્ટ યોજાવાની હતી પરંતુ કોરોનાને કારણે પાછી ઠેલવામાં આવી છે અને હવે તે યુએઇમાં યોજાઇ રહી છે.આ ટુર્નામેન્ટ ટ્વેન્ટી ટવેન્ટી હોય મેદાન પર ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલશે.

આઇપીએલ ટુર્નામેન્ટ શરૂ થવા આડે થોડા જ કલાકો બાકી હોય એક નવો નિયમ બહાર આવ્યો છે.જે અનુસાર પહેલીવાર એવું બનશે કે તમામ ખેલાડીઓ હોટલથી સ્ટેડિયમ નહિ આવે પરંતુ પસંદ થયેલા ખેલાડીઓ જ સ્ટેડિયમ જશે.કોરોના વાયરસ મહામારીને જોતાં ક્રિકેટ બોર્ડ અને આઇપીએલ કમિટિએ કડક નિયમો બનાવ્યા છે કે જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઇ રહે.

આઇપીએલ ટુર્નામેન્ટમાં કુલ ૮ ટીમો વચ્ચે મુકાબલો થશે.એક મહિના ઉપરાંત રમાનારી આ ટુર્નામેન્ટને કારણે લોકો થોડા સમય સુધી કોરોનાને પણ ભૂલી જશે તેવું જણાય છે.

લતીફ સાથે પણ સંપર્કમાં આવેલો લેન્ડ માફિયા નજીર વોરા 1994થી કરતો હતો આ કામ, હવે થયો જેલ ભેગો
GPCBના અધિકારીનો ભ્રષ્ટાચાર, આવક કરતાં અઢળક મિલકતો મુદ્દે ACBએ ગુનો નોંધ્યો
યોગી સરકારને HCનો ફટકો: CAA હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવા કહ્યું
રાજ ઠાકરે BJPના લાઉડસ્પીકર : સંજય રાઉત
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારે ૪.૮ની તીવ્રતાનો આંચકો
Share This Article
Facebook Email Print
Previous Article સુરત : લોનના હપ્તા ન ચુકવી શકતા બેરોજગાર ચોકીદારનો આપઘાત, ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
Next Article સુશાંત સિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા? આ રહસ્ય પરથી ઉઠશે પડદોઃ આજે આવશે વિસેરા રિપોર્ટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up