By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ટૂંકમાં ગુજરાતમાં જ મળશે દારૂ ,નહીં જવું પડે દમણ ,દીવ કે આબુ ! ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ટૂંકમાં ગુજરાતમાં જ મળશે દારૂ ,નહીં જવું પડે દમણ ,દીવ કે આબુ ! ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન
AhmedabadGeneralGujarat Now

ટૂંકમાં ગુજરાતમાં જ મળશે દારૂ ,નહીં જવું પડે દમણ ,દીવ કે આબુ ! ગુજરાતમાંથી દારૂબંધીને હટાવવા આક્રમક મોડમાં આવ્યા શંકરસિંહ વાઘેલા, શરૂ કર્યું અભિયાન

HM News
Last updated: 26/09/2020 10:19 AM
HM News
5 years ago
Share
SHARE

– સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો.તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા

ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આક્રમક તેવર બતાવી ચૂક્યા છે.તેઓ ગુજરાતમાંથી દારૂબંધી (Liquor ban) હટાવવાના પક્ષમાં છે.આ વિશે અનેકવાર તેઓ જાહેરમાં બોલી ચૂક્યાં છે.ત્યારે હવે ગુજરાતમાં દારૂબંધીની છૂટ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Waghela) એ અભિયાન શરૂ કર્યું છે,જેમાં તેઓએ ગુજરાતીઓને સ્પષ્ટ વાત પૂછી છે કે,શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો? આ ઉપરાંત તેઓએ દારૂબંધીની વિરુદ્ધમાં એક અભિયાન પણ શરૂ કર્યું છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે લોકોનો મત માંગ્યો છે.

લોકોને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું…

તેઓએ સોશિયલ મીડિયા પર નામ માત્રની દારૂબંધીના નુકસાન અને દારૂબંધી હટાવવાના ફાયદા ગણાવ્યા છે. #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે તેઓએ લોકોને પોતાનો અવાજ ઉઠાવવા કહ્યું છે.તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું કે,દારૂના બ્લેક માર્કેટને કારણે ન તો રાજ્યને ટેક્સ મળી રહ્યો છે,ન તો રોજગાર ઉભો થઈ રહ્યો છે.દારૂબંધી હટશે તો ટુરિઝમને બળ મળશે અને રોજગાર પણ ઉભો થશે.સાથે જ તેમણે ઝેરી કેમિકલવાળો દારૂ પીવા લોકો મજબૂર થયા છે તેવી વાત કરી હતી.

શું તમે પણ દારૂબંધીની ખોટી નીતિનો વિરોધ કરો છો?
તો #AgainstLiquorBanChallenge હેશટેગ સાથે પોસ્ટ કરી અવાજ ઉઠાવો.

– Bapu For Gujarat (@Bapu4Gujarat) September 26, 2020

લોકોએ શું જવાબ આપ્યા…

શંકરસિંહ વાઘેલાના અભિયાન પર અનેક લોકોએ પ્રતિસાદ આપ્યો છે.લોકોએ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની તરફેણ કરી.તે એક શખ્સે કહ્યું કે,માત્ર ગુજરાતમાં જ દારૂબંધી કેમ,દારૂબંધી કરવી હોય તો આખા ભારતમાં કરો.કેટલાકે કહ્યું કે,દારૂબંધી હટશે તો લોકો દેશીદારૂ અને લઠ્ઠો પીતા અટકશે.

पांच वचनों का पंचामृत
1️⃣ शराबबंदी की नौटंकी से छुटकारा
2️⃣ आरोग्य की सुरक्षा
3️⃣ मुफ्त शिक्षा
4️⃣ युवा को रोजगार
5️⃣ फ्री बिजली और पानी
हम गुजरात को मूलभूत विकास का वादा करते है ?https://t.co/h1EO98WVtD

– Shankersinh Vaghela (@ShankersinhBapu) September 23, 2020

શંકરસિંહ વાઘેલા દારૂબંધી હટાવવાની તરફેણમાં…

આ અંગે થોડા દિવસ પહેલા પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે,ગુજરાતમાં એક કિલોમીટર વિસ્તાર પણ એવો નથી જ્યા દારૂનો વેપાર થતો ન હોય અને ખુલ્લેઆમ દારૂ ન પીવાતો હોય. હું ગુજરાતીઓને કહેવા માગુ છું કે,ગાંધી સરદારના નામે બહુ થયું હવે.હવે તેનો પુનવિચાર કરો કે,દારૂબંધી હટાવે.કૃત્રિમ દારૂબંધી ભ્રષ્ટાચાર અને ગુંડાઓનો અડિંગો બની ગયો છે.રોજ કરોડો રૂપિયાનો દારૂ પીવાતો હોય અને પકડાતો હોય છે.આ ખોટી નીતિ છે.દારૂબંધીની વૈજ્ઞાનિક પદ્ધતિનો અમલ કરવો જોઈએ. દિલ્હી, બેંગલોર ક્યાંય દારૂબંધી નથી.તો ગુજરાતમાં એવી નીતિ રાખો જેથી ગુજરાતમાં જે કેમિકલ પીને મરી જાય છે,અને લાખો બહેનો વિધવા બને છે. આવી નીતિ બદલી દો.એવી નીતિ કરો કે સેલવાસ, દમણ, આબુ, ઉદયપુર કે મુંબઈ ન જવો પડે.

કોરોનાનું લોકડાઉન અને ઉદ્ધવ ઠાકરેનું રાજકીય ધર્મસંકટ
ઓવિયાણ ગામે નહેરમાં ડૂબી જવાથી અજાણ્યા પુરુષનું મોત
રાજ્યમાં 1 માર્ચ પછી પહેલી વખત કોરોના સંક્રમિતોનો આંક 160ને પાર થઇ 165 નોંધાયો
CBIએ 6,833 કરોડની છેતરપિંડીના કેસમાં શ્રીલક્ષ્મી કોટ્સિનના MDને અરેસ્ટ કર્યા
મહજબ નહિ શીખાતા આપસ મેં બૈર રખના : ભાવનગરના પ્રસિધ્ધ યાત્રાધામ ભગુડા મોગલધામ મંદિરમાં ASP સફીન હસને માતાજીની આરતી ઉતારી અને માથું ટેકવી આર્શિવાદ લીધા
Share This Article
Facebook Email Print
Previous Article લવ જેહાદ મામલે દરેક કેસનું હોઈ શકે છે જોડાણ
Next Article વિવાદમાં નામ આવતા હકુભા જાડેજાની સ્પષ્ટતા, ‘માફિયા-ગુંડાતત્વો સાથે મારો કોઈ સંબંધ નથી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up