જે.પી. નડ્ડાએ અંતે ભાજપની નવી ટીમ જાહેર કરી દીધી. નડ્ડા અમિત શાહની જ ટીમને મોટા ભાગે જાળવશે એવું મનાતું હતું.તેના બદલે નડ્ડાએ ધરમૂળથી ફેરફારો કરીને નવી જ ટીમ બનાવી છે અને શાહની નજીક ગણાતા મોટા ભાગના માણસોને દરવાજો બતાવી દીધો છે.જમાલ સિદ્દીકી,તેજસ્વી સૂર્યા,લાલસિંહ આર્ય સહિતના મોરચા પ્રમુખો શાહના વફાદારોને ખસેડીને આવ્યા છે.
ભાજપ સંગઠન હવે શાહના ઈશારે નહીં પણ સીધું મોદીની સૂચનાથી કામ કરશે
ભાજપનાં સૂત્રોના મતે,નડ્ડાની નવી ટીમ એ વાતનો સંકેત છે કે હવે ભાજપ સંગઠન હવે શાહના ઈશારે નહીં પણ સીધું મોદીની સૂચનાથી કામ કરશે.શાહે પોતાના વફાદારોને સંગઠનમાં મૂક્યા હતા.મોદીએ જે રાજ્યોમાં ભાજપ મજબૂત નથી એ રાજ્યોના નેતાઓને મહત્વ આપ્યું છે.કેરળના અબ્દુલ્લા કુટ્ટી ઉપપ્રમુખ અને આંધ્ર પ્રદેશનાં ડી.પુરંદેશ્વરી મહામંત્રી આ વ્યૂહરચનાના ભાગરૂપે નિમાયાં છે.
રામ માધવ અને મુરલીધર રાવને પડતા મૂકાયા તેનું સૌને આશ્ચર્ય
સંઘના રામ માધવ અને મુરલીધર રાવને પડતા મૂકાયા તેનું સૌને આશ્ચર્ય છે પણ સૂત્રોના મતે બંનેને મોદી સરકારમાં પ્રધાન બનાવાશે.રામ માધવને તો કાશ્મીરમાં લેફ્નનન્ટ ગવર્નરના સલાહકાર બનાવાશે એવી પણ અટકળો ચાલી રહી છે.