નવી દિલ્હી, તા. ર૯ : કેન્દ્રીય ગૃહમંત્રાલય આજે કોઇપણ સમયે અનલોક પ.૦ ની ગાઇડલાઇન્સ જાહેર કરી શકે છે.આ વાતની સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે અનલોક -પ માં રેલ્વે ઝોન અંદર નાના-નાના અંતરની ટ્રેનોની મંજૂરી આપશે.એટલે કે રેલ્વેને ઓછા અંતર માટે પેસેન્જર ટ્રેનની છૂટ અપાશે તેની સાથે જ સિનેમા હોલ અને પર્યટક સ્થળોને આ ચરણમાં ફરી ખોલવાની મંજૂરી આપવાની શકયતા છે.
ઉલ્લેખનીય છે કે આવતીકાલે અનલોકની અંતિમ દિવસ છે. ૧ ઓકટોબરથી દેશ પાંચમાં ચરણમાં પ્રવેશ કરશે.લોકડાઉનના કારણે પડી ભાંગેલી અર્થવ્યવસ્થાને રફતાર આપવા માટે સરકાર શાળા-કોલેજની સાથે અનેક આર્થિક ગતિવિધીઓની છુટ આપશે.
૧ સપ્ટેમ્બરે શરૂ થયેલી અનલોક-૪માં કેન્દ્ર સરકારે પ્રથમવાર મેટ્રો સેવાઓને ફરી શરૂ કરવા જેવી વિવિધ છૂટ આપવામાં આવી હતી.તેની સાથે જ ૯-૧ર માટે શાળાને આંશિકરૂપે ફરી ખોલવામાં આવ્યા.હવે એક ઓકટોબરથી શરૂ થતાં અનલોકના પાંચમાં ચરણ અંગે અટકળો તેજ થઇ છે.તહેવારની સીઝનના કારણે આશા છે કે કેન્દ્ર અનલોક માટે અને ગતિવિધિઓ ખોલી દેશે.