અયોધ્યાના બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઈની વિશેષ અદાલતે 30 સપ્ટેમ્બરનારોજ પોતાનો નિર્ણય સંભળાવવા જઈ રહી છે.માનવામાં આવી રહ્યું છે કે,કોર્ટનો નિર્ણય આશરે 2000 પેજનો હશે. નિર્ણય આવ્યા બાદ તેને services.ecourts.gov.in વેબસાઈટ ઉપર અપલોડ કરી દેવામાં આવશે.
ત્રણ દાયકા બાદ આવશે ચુકાદો
અયોધ્યામાં ડિસેમ્બર 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ મામલે સીબીઆઈની અદાલત આશરે ત્રણ દાયકાની રાહ જોયા બાદ તે અંગે નિર્ણય સંભળાવવા માટે જઈ રહી છે.આ મામલામાં પૂર્વ ગૃહમંત્રી લાલકૃષ્ણ અડવાણી, પૂર્વ સાંસદ મુરલી મનોહર જોશી,યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહ,ભાજપના નેતા વિનય કટિયાર,પૂર્વ કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ ઉમા ભારતી આરોપી છે.સીબીઆઈએ આ કેસમાં 49 આરોપીઓ સામે ચાર્જશીટ ફાઈલ કરી હતી.જેમાં 17ના મોત નીપજી ચુક્યાં છે.આ પહેલા સીબીઆઈની વિશેષ અદાલતે બચાવમાં અભિયોજના પક્ષ તરફથી મૌખિક દલીલ પૂરી કરી લીધી છે.હવે સીબીઆઈની વિશેષ અદાલત આ કેસમાં 30 સપ્ટેમ્હર સુધી પોતાનો નિર્ણય સંભળાવશે.એટલું જ નહીં 2 સપ્ટેમ્બરના રોજ કોર્ટે પોતાનો નિર્ણય લખવાની શરૂઆત કરી દીધી હતી.વિશેષ જજ સુરેન્દ્ર કુમાર યાદવે આદેશ આવ્યો હતો કે,નિર્ણય લખાવવા માટે તેની સામે પત્રાવલીને હાજર કરવામાં આવે.
6 સપ્ટેમ્બર 1992ના રોજ વિવાદીત ભાગ તુટ્યો હતો
6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદીત ભાગ તુટી જવાના કેસમાં કુલ 49 એફઆઈઆર નોંધવામાં આવી છે.એક એફઆઈઆર ફૈઝાબાદ પોલીસ સ્ટેશન રામજન્મભૂમિના એસઓ પ્રિયવંદા નાથ શુક્લા જ્યારે બીજી એસઆઈ ગંગા પ્રસાદ તિવારીએ નોંધાવી હતી.બાકીની 47 એફઆઈઆર અલગ અલગ તારીખો ઉપર અલગ અલગ પત્રકારો અને ફોટોગ્રાફરોએ નોંધાવી હતી. 5 ઓક્ટોમ્બર, 1993ના રોજ સીબીઆઈની તપાસ બાદ આ મામલામાં કુલ 49 આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.તેમાંથી 17ના મોત સુનાવણી દરમયાન થઈ ચુક્યાં છે.