આંતરરાષ્ટ્રીય માનવ અધિકારવાદી સંસ્થા એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાંના પોતાનાકામકાજને અટકાવ્યું હતું. એમ્નેસ્ટીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભારત સરકારે દસમી સપ્ટેમ્બરે અમારા બેંક એકાઉન્ટને ફ્રીઝ કર્યા હતા એટલે અમને અમારા કેટલાક કર્મચારીને પડતા મુકવાની ફરજ પડી હતી.સંસ્થાએ ભારત સરકાર પર ‘witch-hunt’ એટલે પાછળ પડી જવાનો આરોપ લગાવ્યો છે.સરકારનું કહેવું છે કે,આ સંસ્થાએ Foreign Contribution(Regulation)Act હેઠળ ક્યારેય રજીસ્ટ્રેશન કરાવ્યુ નથી,જે વિદેશી ફંડિંગ માટે જરૂરી હોય છે.
એમ્નેસ્ટીએ શું કહ્યુ
એમ્નેસ્ટીએ ભારત સરકાર પર પૂર્વઆયોજિત કામગીરી કરવાનો આરોપ પણ મૂક્યો હતો. એમ્નેસ્ટીના કાર્યકારી ડાયરેક્ટર અવિનાશ કુમારે કહ્યું હતું કે છેલ્લાં બે વર્ષથી અમારી સામે કાર્યવાહી ચાલી રહી હતી.અમારા બેંક એકાઉન્ટ્સને ફ્રીઝ કરાયા એ કંઇ રાતોરાત થયું નથી.સરકારી વિભાગો સતત અમારી પજવણી કરી રહ્યા હતા. આ વર્ષના ફેબ્રુઆરીમાં થયેલી દિલ્હીની હિંસા અને જમ્મુ કશ્મીર અંગે અમે ઊઠાવેલા અવાજના પગલે સરકારે અમારી સામે કાર્યવાહી કરવા માંડી હતી.અવિનાશ કુમારે એવો દાવો કર્યો હતો કે અમે તમામ ભારતીય અને આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરી રહ્યા છીએ.ભારતમાં માનવ અધિકારો માટે કામ કરવા સંસ્થા સ્થાનિક તેમજ ઇન્ટરનેશનલ લેવલે એક અલગ મોડેલના માધ્યમ દ્વારા સંચાલિત થાય છે.
શું છે આરોપ ?
ઈડી સંસ્થાની સામે વિદેશી ફંડિંગ મેળવવા માટે અનિયમિતતાઓના આરોપોની સામે તપાસ કરી રહી છે.ગૃહમંત્રાલયનો આરોપ છે કે,સંસ્થાએ ‘ભારતમાં FDI દ્વારા પૈસા મંગાવ્યા’ જેની નોન પ્રોફિટ સંસ્થાઓને પરવાનગી નથી.2017માં, ઇડીએ સંસ્થાના ખાતાઓને ફ્રિઝ કરી દીધા હતા.જેના પછી એમ્નેસ્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી અને થોડી રાહત મળી.પરંતુ તેનું ખાતું સીલ કરાયું હતું.ગયા વર્ષે સીબીઆઈએ પણ તેમની સામે કેસ દાખલ કર્યો હતો.ફરિયાદમાં એમ કહેવામાં આવ્યું છે કે એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ યુકેએ એમનીસ્ટી ઈન્ડિયાની કંપનીઓને એફડીઆઈ તરીકે મંત્રાલયની મંજૂરી લીધા વિના 10 કરોડ રૂપિયા ચુકવ્યા છે.તેમાં કહ્યુ હતું કે, ‘આ ઉપરાંત, 26 કરોડની રકમ યુકેની સંસ્થાઓ વતી મંત્રાલયની મંજૂરી લીધા વિના એમ્નેસ્ટી (ભારત) ને આપવામાં આવ્યું હતું,જે ભારતમાં NGO પ્રવૃત્તિઓ પર ખર્ચવામાં આવ્યું હતું.આ FCRAનું ઉલ્લંઘન છે.