By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ગીફટસીટીની ‘ગીફટ’ : ભારતીય કંપનીઓને સાત દેશોમાં નોંધણીની છૂટ મળી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ગીફટસીટીની ‘ગીફટ’ : ભારતીય કંપનીઓને સાત દેશોમાં નોંધણીની છૂટ મળી
GandhinagarGeneralGujarat Now

ગીફટસીટીની ‘ગીફટ’ : ભારતીય કંપનીઓને સાત દેશોમાં નોંધણીની છૂટ મળી

HM News
Last updated: 16/10/2020 6:43 AM
HM News
5 years ago
Share
SHARE

– આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકિય વ્યવહારો સહિત અનેકવિધ પ્રશ્નોનું આવશે નિરાકરણ

દેશને આર્થિક રીતે મજબુત બનાવવા અને વડાપ્રધાન મોદીના ૫ ટ્રિલિયન ડોલર ઈકોનોમીના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના ઉધોગોને વેગવંતુ બનાવવા માટે અનેકવિધ યોજનાઓને અમલમાં મુકવામાં આવી રહી છે.વડાપ્રધાન મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરને ગીફટ સીટી આપી છે કે જયાં ઉધોગકારો પોતાના ઉધોગ સ્થાપી દેશ અને રાજયોની ઉન્નતિમાં સહભાગી થઈ શકે ત્યારે ફરી એક વખત સરકારે નવતર પ્રયોગ હાથ ધર્યો છે અને દેશની કંપનીઓને વિદેશના ૭ દેશોમાં નોંધણી કરવા માટેની મંજુરી આપી છે.આ પ્રયોગ થકી કંપનીઓની વૈશ્ર્વિક ઓળખ,નિકાસ અને જે નાણાકિય પ્રશ્નો ઉદભવિત થતા હતા તેના ઉપર પૂર્ણવિરામ મુકવામાં આવશે.બીજી તરફ વાણિજય મંત્રાલય દ્વારા ગીફટ સીટીને ગીફટ આપવામાં આવી છે જેમાં ભારતની કંપનીઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકશે.જે કંપનીઓ વિદેશના ૭ દેશો અને ગીફટ સીટીમાં પોતાનો ઉધોગ સ્થાપવા માટે આગળ આવશે તેઓને અનેકવિધ રીતે સહાય પણ અપાશે જેથી તેમનો વ્યવસાય પણ પૂર્ણરૂપથી ચાલી શકે.

કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રી તથા ઈકોનોમી અફેર્સ વિભાગના સંપર્ક સુત્રો દ્વારા એ માહિતી પ્રાપ્ત થઈ છે કે,ભારતીય કંપનીઓ યુનાઈટેડ સ્ટેટ યુ.કે., જાપાન જેવા દેશોમાં પોતાના ઉધોગો સ્થાપિત કરી શકશે જેમાં સિંગાપોર અને હોંગકોંગનો પણ સમાવેશ થયો છે.હાલ ભારતની કંપનીઓ વૈશ્વિક ફલક ઉપર પહોંચવા માટે ઘણી મથામણ કરવી પડતી હોય છે.

ઘણા દસ્તાવેજો પણ આપવા પડતા હોય છે પરંતુ હવે આ ચિત્ર બદલાશે અને ભારતીય કંપનીઓને વૈશ્ર્વિક ફલક ઉપર પ્રસ્થાપિત થવા માટે સરકારે તેઓને સોનેરી તક આપી છે.વિદેશમાં જે કંપનીઓની નોંધણી થશે તેઓને બીજી તક એ પણ સાંપડશે કે જે-તે દેશના સ્ટોક એકસચેન્જમાં તેઓને લીસ્ટ થવા માટેની તક પણ ઉભી થશે જેને પહોંચી વળવા માટે ભારતીય કંપનીઓ સજજ થઈ હોવાનું પણ સામે આવ્યું છે.સંપર્ક સુત્રો દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે હાલ ચાઈના સાથેના તણાવને ધ્યાને લઈ ભારત નજીકના સમયમાં હોંગકોંગ ખાતે કંપનીઓની સ્થાપના નહીં કરે પરંતુ ગુજરાત રાજય માટે એક વિપુલ તક પણ ઉભી થઈ છે કે સરકારે ગાંધીનગર ખાતે ગીફટ સીટીનું નિર્માણ કર્યું છે જેથી જે કંપનીઓ પોતાનો વ્યવસાય ગીફટ સીટી ખાતે સ્થાપશે તો તેઓને અનેકવિધ રીતે સહાયો પણ મળવાપાત્ર રહેશે.બીજી તરફ સરકાર સ્ટાર્ટઅપને પણ પ્રાધાન્ય આપી રહ્યું છે જેથી આવનારા સમયમાં નવા ઉધોગો પણ સ્થાિ૫ત થશે કે દેશને નવી ઉંચાઈ સુધી પહોંચાડવા કારગત નિવડશે. ભારત દેશની વાત કરવામાં આવે તો હાલ દેશની આર્થિક વ્યવસ્થા અત્યંત ડામાડોળ હોવાના પગલે તેઓને પ્રોત્સાહન આપવામાં આવશે.મોદી સરકાર દ્વારા કંપનીઝ એકટમાં ફેરફાર કર્યા હોવાના કારણે ઉધોગકારોને ઉધોગો સ્થાપિત કરવા માટે જે પ્રશ્ર્ન ઉદભિવત થતા હતા તે હવે નહીં થાય તેઓ હવે સરળતાથી જ પોતાનો વ્યવસાય ઉભો કરી શકશે અને દેશને આર્થિક રીતે મજબુતી આપવા માટે મદદરૂપ સાબિત થશે.

દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે જો કોઈ વિકલ્પ સામે હોય તો એ જ છે કે ઉધોગોને વધુને વધુ પ્રાધાન્ય આપવામાં આવે અને તેઓની જરૂરીયાતોને પણ પુરી કરવામાં આવે.આ મુદ્દાને ધ્યાને લઈ સરકારે દુરંદેશી વિચાર કરી ભારતીય દેશની કંપનીઓને વિદેશમાં નોંધણી કરવા માટેની જે મંજુરી આપી છે તે ખરાઅર્થમાં સકારાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે કારણકે જે ભારતીય કંપનીઓ વિદેશમાં નોંધણી કરાવશે તેઓની આર્થિક સ્થિતિમાં અનેકઅંશે સુધારો થશે તેનો સીધું જ પરિણામ ભારત દેશની અર્થવ્યવસ્થા ઉપર પણ જોવા મળશે.હાલ ભારત ચાઈનાનો વિકલ્પ વિદેશના અન્ય દેશોમાં જોઈ રહ્યું છે તે એવી જ રીતે વિદેશના દેશો પણ ચાઈનાને સાઈડ કરી પોતાનું રોકાણ ભારત દેશમાં લાવવા માટે પ્રેરિત થયા છે જેથી ભારતીય કંપનીઓ જો ઉત્પાદન ક્ષેત્રે આગળ આવશે તો તેમના માટે આવનારો સમય સુવર્ણકાળ સમાન સાબિત થશે જેને ધ્યાને લઈ સરકારે ભારતીય કંપનીઓને વિશ્ર્વના સાત દેશોમાં નોંધણી કરવાની છુટ આપી છે અને જે ૭ દેશો છે

રાજ્યમાં વધુ ચાર પોઝિટિવ કેસ : કુલ 64 : મૃતાંક 5
ગેરકાયદે કફ સિરપ વેચતા 3 ઝડપાયા, 3500 બોટલ મળી
બારડોલીના ઉદય શાહે પોલીસ સમન્વયના નામે લખોનું કરી નાખ્યું હોવાના આક્ષેપ
ભારત માલા પ્રોજેક્ટનો રસ્તો ખેતરમાંથી ન આપવા આદિવાસી ખેડૂતો મક્કમ
કાશ્મીરમાં પંડિતો કરતાં મુસલમાનેને 50 ગણું વધુ નુકસાન: સજ્જાદ ગની લોન
Share This Article
Facebook Email Print
Previous Article મોદી સરકાર ખેડૂતોમાં ભરાઈ : પીએમ કિસાન સ્કીમ, કેસીસી અને કૃષિ બજેટના આંકડાઓથી નારાજ ખેડૂતોને મનાવવામાં લાગી
Next Article મથુરા : ‘શ્રીકૃષ્ણ વિરાજમાન’ની અપીલ પર આજે ફેંસલો, જિલ્લા જજની અદાલતમાં છે આ કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up