By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પંજાબ નેશનલ બેન્કના માજી ડે. મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પંજાબ નેશનલ બેન્કના માજી ડે. મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધાયો
GeneralNational

પંજાબ નેશનલ બેન્કના માજી ડે. મેનેજર વિરૂધ્ધ ગુનો નોંધાયો

HM News
Last updated: 21/10/2020 8:01 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. ૨૧: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડના મુખ્ય આરોપી અને આ બેન્કના નિવૃત્ત્। ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટી વિરુદ્ઘ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)એ ગુનો નોંધ્યો છે.મેહુલ ચોકસી અને નીરવ મોદીને આ કૌભાંડના માસ્ટર-માઇન્ડ ગણવામાં આવે છે. ગીતાંજલિ જેમ્સ માટે બેન્ક ગેરન્ટીની વ્યવસ્થા કરી આપનાર રિશિકા ફાયનેન્સિયલ્સ પાસેથી ૧.૦૮ કરોડ રૂપિયાની લાંચ સ્વીકારી હોવાના નવા કેસમાં શેટ્ટીની ધરપકડ કરાઈ છે,એવું અધિકારીઓએ જણાવ્યું હતું. કહેવાય છે કે રિશિકા ફાયનેન્સિયલ્સના માલિક દેબાજયોતિ દત્ત્।ાએ વિદેશી ફંડ અપાવતી બેન્કો પાસેથી લેટર ઓફ અન્ડરટેકિંગ (એલઓયુ)ની અપાવવાના બિઝનેસમાં હતા,એમ અધિકારીઓએ સોમવારે કહ્યું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે શ્નદત્ત્।ા પાસેથી કન્ફર્મેશન મેળવ્યા પછી શેટ્ટી તરફથી ઇન્ટરનેશનલ બેન્કિંગ મેસેજિંગ સર્વિસ (સ્વિફ્ટ)નો ઉપયોગ કરીને એલઓયુ ઇસ્યુ કરાતા હતા.’ દત્ત્।ા સામાન્ય રીતે ચોકસી દ્વારા પ્રમોટ કરાયેલી ગીતાંજલિ જેમ્સ માટે કામ કરતા હોવાનું અને આ કંપની માટે દલાલી તરીકે એલઓયુના ૦.૦૫ ટકાના બિલ બનાવડાવ્યા હોવાનું પણ મનાય છે.પૈસા દત્ત્।ાના ખાતામાં જમા થતા હતા અને કહેવાય છે કે એમાંથી ૪૦ ટકા રકમ (૧.૦૮ કરોડ રૂપિયાથી પણ વધુ રકમ) શેટ્ટીને ૨૦૧૪થી ૨૦૧૭ દરમિયાન ચૂકવાઈ હતી.’

એલઓયુ એવી ગેરન્ટી છે જે ઇસ્યુ કરનારી બેન્ક દ્વારા વિદેશમાં શાખા ધરાવતી ભારતીય બેન્કને આપવામાં આવે છે.અરજીકર્તાને ટૂંકા ગાળાનું ધિરાણ આપવા આ ગેરન્ટી અપાતી હોય છે. જો રકમ ભરપાઈ કરવામાં કસૂર થાય તો એલઓયુ આપનાર બેન્કે નિર્ધારિત રકમ ધિરાણ આપતી બેન્કને વ્યાજ સાથે આપવી પડે છે.

ચોકસી અને નીરવ મોદીની કંપનીઓએ વિદેશોમાં બેન્કો પાસેથી એઓયુને આધારે પુષ્કળ લોન લીધી હતી,પણ એ ભરપાઈ કરવાને બદલે એ જવાબદારી પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) પર ઢોળી દીધી હતી.કહેવાય છે કે શેટ્ટીએ પીએનબીની ફિનેકલ નામની હાર્દરૂપ બેન્કિંગ સિસ્ટમને ઓળંગીને છેતરપિંડીથી એલઓયુ ઇસ્યુ કર્યા હતા.પીએનબીની મુંબઈમાં બ્રેડી હાઉસ ખાતેની બ્રાન્ચ ખાતે ડેપ્યુટી મેનેજરનો હોદ્દો ધરાવનાર શેટ્ટીની માર્ચ, ૨૦૧૮માં ધરપકડ કરાઈ હતી.

ભાજપમાં જ અંદરોઅંદર ડખ્ખા : MLA જગદીશ પટેલે મેટ્રો પ્રોજેક્ટ માં વિલંબ કરનાર CM રૂપાણી ને કહ્યું પ્રોજેક્ટ પૂરો કરવા બદલ શુભકામના!
અકસ્માત:સુરતમાં ઇચ્છાપોર ચોકડી નજીક બમ્પ કૂદાવતા પાલિકાની કોન્ટ્રાકટ મહિલા સફાઈ કર્મચારીનું ચાલુ ટ્રેક્ટરે પડી જતા મોત
દિલ્હી હિંસા માટે અમિત શાહ જવાબદાર, રાજીનામું આપે : સોનિયા ગાંધી
ઉડ્ડયન ઉદ્યોગની રેવેન્યુ ૨૫,૦૦૦ કરોડ ઘટી શકે છે : CRISIL
મહુવા વન વિભાગનો બીટ ગાર્ડ અને સો મિલ સંચાલક 180 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા
Share This Article
Facebook Email Print
Previous Article 31મી ઓક્ટોબરે સી-પ્લેન પછી ગુજરાતમાં આ નવી સર્વિસ શરૂ થશે, જાણો કેટલી રોમાંચક હશે
Next Article છેલ્લા 24 કલાકમાં દેશમાં 54044 કેસ નોંધાયા, એક્ટિવ કેસમાં સતત ઘટાડો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up