– રાજીવ સાતવનો ભાજપ ઉપર કટાક્ષ- “આત્મનિર્ભર બનવાની વાતો કરતો ભાજપ જ હાલમાં કોંગ્રેસ ઉપર નિર્ભર”: મતદારના મતનો વિશ્વાસઘાત કરનારને સબક શીખવવા માટે કોંગ્રેસ તરફી મતદાન કરવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું આહ્વાન
મોરબી માળીયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઇ પટેલના સમર્થનમાં ગઇકાલે મોરબીમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને પ્રભારીની હાજરીમાં જંગી જાહેરસભા યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તેમજ પ્રભારી એ ભાજપને આડે હાથે લીધો હતો અને ખાસ કરીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી આત્મનિર્ભર બનવાની વાતો ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ ભાજપ જ અત્યારે કોંગ્રેસ ઉપર નિર્ભર છે અને આજની તારીખ ભાજપ સરકારના મંત્રી મંડળની અંદર જે લોકો બેઠા છે તેમાંથી મોટાભાગના કોંગ્રેસમાંથી ગયેલા ધારાસભ્યો છે માટે હવે કોંગ્રેસે નહીં પણ ભાજપને આત્મમંથન કરવાની જરૂર છે અને આત્મનિર્ભર થવાની જરૂર છે તેવી ટકોર કરી હતી અને આગામી ચૂંટણીની અંદર ૧૦૦ ટકા કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતી સાથે ન માત્ર મોરબી પરંતુ આઠે આઠ બેઠકો ઉપર ચૂંટણી આવવાના છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તો લલિત કગથરાએ બ્રિજેશ મેરજાને એવી ભૂંડી રીતે હરવો કે બીજી વખત કોઈ પણ ધારાસભ્ય વેચાતા પહેલા વિચાર કરે તેવું મતદારોને આહ્વાન કર્યું હતું.
મોરબી માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મોરબીની અંદર ભાજપ અને કોંગ્રેસના રાજ્ય અને રાષ્ટ્રીય નેતાઓ આવીને સભા ગજવી રહ્યા છે દરમિયાન મોરબી-માળિયા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના સમર્થનમાં મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે જંગી જાહેર સભા રાખવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડા અને ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ રાજીવ સાતવ સાથે હાજર રહ્યા હતા અને તેમણે સભાને સંબોધી હતી ત્યારે ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ રાજીવ સાતવે ભાજપ ઉપર સીધો આક્ષેપ કરતા કહ્યું હતું કે ગુજરાતની અંદર કોરોના સંક્રમણ થયું છે તેના માટે જો કોઈ જવાબદાર હોય તો તે “નમસ્તે ટ્રમ્પ” છે કારણકે નમસ્તે ટ્રમ્પ ના કાર્યક્રમ બાદ ગુજરાતની અંદર કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થયો છે અને મોરબીની બેઠક વિશે વાત કરતાં તેમણે કહ્યું હતું કે આ બેઠક ઉપરથી ભૂતકાળમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પણ ચૂંટાયા છે અને અત્યાર સુધી જે કોઈ ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે તેમાંથી કોઈ આજ દિવસ સુધી વેચાયા નથી પરંતુ કોંગ્રેસ સિમ્બોલ સાથે ૨૦૧૭ની ચૂંટણીમાં ચૂંટાયેલા બ્રિજેશભાઈ મેરજા મતદારો સાથે ગદ્દારી અને વિશ્વાસઘાત કરીને હાલમાં ભાજપ જોડાયા છે અને પાછા ચૂંટણી લડવા માટે આવ્યા છે ત્યારે આ ગદ્દાર ઉમેદવાર તેમજ મતદારોનો વિશ્વાસઘાત કરનારને સબક શીખવવા માટેનો સમય પાકી ગયો છે.
તેમને વધુમાં કહ્યું હતું કે, બ્રિજેશભાઈ મેરજા દ્વારા અત્યારે રાજીનામું મૂકવા માટે જે કારણ રજૂ કરવામાં આવે છે તે કોઈને ગળે ઉતરે તેવું નથી કેમ કે આજની તારીખે કોંગ્રેસની સાથે જોડાયેલા ધારાસભ્યોના કામ તેના વિસ્તારમાં થાય જ છે અને ભાજપ દ્વારા એમપી અને રાજસ્થાની અંદર સરકારને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે તેવી જ રીતે ગુજરાતની અંદર પણ ધારાસભ્યો ખરીદવામાં આવ્યા છે જેથી કરીને ભાજપ હવે આત્મનિર્ભર બને તે જરૂરી છે કારણ કે આજની તારીખે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ભાજપ કરતાં કોંગ્રેસમાથી ગયેલા લોકો વધુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીતભાઈ ચાવડાએ સભાને સંબોધતા કહ્યું હતું કે મોરબીના માજી ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાના પાપે હાલમાં પેટા ચૂંટણી આવી પડી છે ત્યારે લોકોએ મતદારના મતનો વિશ્વાસઘાત કરનારને સબક શીખવવા માટે મન બનાવી લીધું છે જેથી આગામી દિવસોમાં અકે નહીં પરંતુ આઠેય બેઠક ઉપર કોંગ્રેસ જીતશે તે નિશ્ચિત છે આ બેઠકના કોંગ્રેસનાં ઉમેદવાર જયંતિભાઈ પટેલે કહ્યું હતું કે, સિરામિક ઉધ્યોગકારો સહિતના ખુલ્લી બહાર આવે તે જરૂરી છે કેમ કે, સરકાર આજની તારીખે સિરામિક જોનમાં સારી પ્રાથમિક સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવી રહી નથી અને સિરામિક ઉધ્યોગના હિત માટે અગાઉ આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આગેવાનોને ધમકાવીને આંદોલન પૂરું કરાવ્યુ હતું તે દિવસો અહીના ઉધ્યોગકારો ભૂલ્યા નથી.
મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ સભામાં કહ્યું હતું કે, કોંગ્રેસનાં કાર્યકરો, પાટીદાર સમાજના યુવાનોનો પરસેવો વેચીને બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાયા છે અને ભાજપમાં બે જુથ્થ હોવાથી એક જૂથે માજી ધારાસભ્ય કાંતિલાલા અમૃતિયાએનએ રાજકારણને પૂરું કરવા માટે બ્રિજેશ મેરજાને ભાજપની ટિકિટ આપવામાં આવી છે ત્યારે ગત ચુંટણીમાં લબડતા લબડતા જીતેલા મેરજાને આ ચુંટણીમાં એવી ભૂંડી રીતે હરાવો કે બીજી વખત કોઈ પણ ધારાસભ્ય વેચાતા પહેલા વિચાર કરે તેવું મતદારોને આહ્વાન કર્યું હતું.


