મહારાષ્ટ્ર સરકાર દ્વારા બોલિવુડની પ્રખ્યાત અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને વિધાન પરિષદમાં નામાંકિત કરવાની ભલામણ અંગેની અટકળો વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતએ શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરએ આ અંગે નિર્ણય લેશે.રાજ્યપાલ ક્વોટામાંથી રાજ્યની વિધાન પરિષદમાં 12 ઉમેદવારોની નિમણૂક થવાની છે.આ અંગે મહારાષ્ટ્ર કેબિનેટમાં રાજ્યપાલને ઉમેદવારોના નામ મોકલવાની ચચર્નિા એક દિવસ બાદ રાઉતનું નિવેદન આવ્યું છે.માતોંડકરના નામની ચચર્થિી સંબંધિત એક પ્રશ્નના જવાબમાં રાઉતે પત્રકારોને કહ્યું કે મેં પણ આ અટકળો અંગે સાંભળ્યું છે કે સરકાર માતોંડકરને પરિષદ માટે નોમેનિટ કરશે. આ રાજ્યના મંત્રીમંડળનો વિશેષાધિકાર છે.મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર નિર્ણય લેવા માટે અધિકૃત છે.
મહારાષ્ટ્રની વિધાન પરિષદની 12 સીટો આ વર્ષે જૂન મહિનામાં ખાલી થઇ છે.બંધારણની કલમ 171 અંતર્ગત રાજ્યપાલ સાહિત્ય, કલા, વિજ્ઞાન, સહકારી આંદોલન અને સમાજસેવા સાથે જોડાયેલ 12 વ્યકિતઓને રાજ્યની વિધાન પરિષદ માટે નોમેનિટ કરી શકે છે.શિવસેના,રાકાંપા અને કોંગ્રેસ રાજ્યપાલ પાસેથી ચાર-ચાર નામોની ભલામણ કરશે. માતોંકર સિવાય મરાઠી અભિનેતા તથા શિવસેના નેતા આદેશ બાંડેકર, ગાયક આનંદ શિંદે,ભાજપા છોડીને રાકાંપામાં સામેલ એકનાથ ખડસે અને કિસાન નેતા રાજૂ શેટ્ટીના નામોની પણ ચચર્િ છે.માતોંડકરે 2019માં કોંગ્રેસની ટિકિટ પર મુંબઇ ઉત્તરથી લોકસભા ચૂંટણી લડી હતી,જેમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે બાદમાં મુંબઇ કોંગ્રેસના કામકાજની રીતને લઇ તેમણે પાર્ટી છોડી દીધી હતી.


