ઈંટીરિયર ડિઝાઈનરની આત્મહત્યા કેસમાં મુંબઈ પોલીસે આજે વહેલી સવારે રિપબ્લિક ટીવીના એડિટર-ઈન ચીફ અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી હતી.પોલીસ અધિકારીઓ તેને રાયગઢ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.પોલીસે અર્નબના ઘરની જડતી પણ લીધી હતી.અર્નબ ગોસ્વામીની ધરપકડ અલીબાગમાં નોંધાયેલા એક જૂના કેસ સંદર્ભમાં કરવામાં આવી છે.ગત મે મહિનામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ કેસમાં સીઆઈડી તપાસનો આદેશ આપવામાં આવ્યા હતા.ધરપકડ વખતે પોલીસ અને અર્નબ ગોસ્વામી વચ્ચે ઝપાઝપી થઇ હોવાનું પણ બહાર આવ્યું છે.
અર્નબ ગોસ્વામી અને અન્ય બે લોકો દ્વારા રૂપિયા ન ચુકવાયા હોવાના આક્ષેપ સાથે 53 વર્ષીય ઈંટીરિયર ડિઝાઈનર અને તેની માતાએ આત્મહત્યા કરી હતી.આ મામલે સીઆઈડી દ્વારા ફરીથી તપાસ શરુ કરવાના આદેશ અપાયા હતા.રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે ઈંટીરિયર ડિઝાઈનર અન્વયે નાઈકની દીકરી આજ્ઞા નાઈકએ દાવો કર્યો હતો કે રાયગઢ જિલ્લામાં અલીબાગ પોલીસે આ મામલે તપાસ નથી કરી.જેના કારણે અન્વય અને તેની માતાને આત્મહત્યાનું પગલું ભરવું પડ્યું હતું.આ વાત અન્વય નાઈકે સુસાઈડ નોટમાં લખી હતી. કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.
અર્ત્રે ઉલ્લેખનીય છે કે,અર્નબ ગોસ્વામી સામે ટીઆરપી કૌભાંડમાં પણ આંગળી ચિંધવામાં આવી હતી અને તેની કંપ્નીના સીઈઓની ધરપકડ પણ કરવામાં આવી હતી.
અર્નબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે પોલીસે તેના સાસુ સસરા,પુત્ર અને પત્ની સાથે પણ મારપીટ કરી છે.અર્નબે મુંબઇ પોલીસ પર ગુંડાગર્દી કરવાનો આરોપ પણ લગાવ્યો છે.અને જણાવ્યું છે કે પોલીસે તેના પરિવાર સાથે તેની વાત કરતા પણ રોક્યો હતો.તથા દવા દેવાથી પણ રોક્યો હતો.તે પછી અર્નબ ગોસ્વામીએ મુંબઇ પોલીસ પોતાની સાથે વાનમાં પોલીસ સ્ટેશન લઇ ગઇ છે.
કથિત રીતે અન્વય નાઇક દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટમાં કહેવામાં આવ્યું હતું કે, આરોપીઓએ તેના 5.4 કરોડ રૂપિયાનું પેમેન્ટ નથી કર્યું માટે તેણે આત્મહત્યાનો નિર્ણય કરવો પડ્યો. રિપબ્લિક ટીવીએ આ આરોપોને ફગાવી દીધા છે.

