By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: મે મહિનામાં ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ લેવાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : કોલેજો અને ધો.૯ થી ૧૨ના વર્ગો શરૂ કરવા અંગે બે દિવસમાં નિર્ણય?
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > મે મહિનામાં ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ લેવાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : કોલેજો અને ધો.૯ થી ૧૨ના વર્ગો શરૂ કરવા અંગે બે દિવસમાં નિર્ણય?
GandhinagarGeneral

મે મહિનામાં ધો.૧૦-૧૨ની પરીક્ષાઓ લેવાશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત : કોલેજો અને ધો.૯ થી ૧૨ના વર્ગો શરૂ કરવા અંગે બે દિવસમાં નિર્ણય?

HM News
Last updated: 05/11/2020 10:03 AM
HM News
5 years ago
Share
SHARE

– રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં દિવાળી બાદ શાળાઓ અને કોલેજ શરૂ કરવા અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા દ્વારા તાત્કાલિક અસરથી કોલેજો અને શાળાઓ શરૂ કરવાની એસઓપી તૈયાર કરવાની સૂચનાઓ આપવામાં આવી

ગાંધીનગર : દિવાળી બાદ શાળા અને કોલેજ શરૂ કરવા અંગે ગુજરાત સરકાર દ્વારા મહત્વના સમાચાર સામે આવ્યા છે.શાળા અને કોલેજ એકસાથે શરૂ કરવાની વિચારણા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.પરંતુ પ્રાથમિક સ્કૂલો ખોલવામાં આવશે કે નહિ તે નક્કી નથી.દિવાળીના વેકેશન બાદ પ્રથમ તબક્કામાં ધોરણ 9 થી 12 નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવી શકે છે.અંગે અધિકારીઓને એસઓપી તૈયાર કરવા માટે સૂચના આપી દેવાઈ છે.આરોગ્ય વિભાગના માર્ગદર્શન બાદ જ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાતમા શાળા ખૂલવા અંગે મોટા સમાચાર

આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું કે,ગઈકાલે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટમાં ધોરણ ૯ થી ૧૨ અને કોલેજની દિવાળી બાદ શરૂ કરવા અંગે મુખ્યમંત્રીએ સૂચના આપી હતી.શિક્ષણ વિભાગની ઉચ્ચ અધિકારીઓની મીટિંગ બોલાવી ચર્ચાવિચારણા કરી છે.એસઓપી તૈયાર કરવા માટેની સૂચના આપી છે. વાઈસ ચાન્સેલર અને બે દિવસમાં ઓનલાઇન તેઓની સાથે ચર્ચા કરવામાં આવશે. 9 થી 12 ધોરણ ઉચ્ચ અધિકારીઓ બેસીને ચર્ચા વિચારણા કરીને તૈયાર કરવામાં આવશે.મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સાથે બેસીને આગળનો વિચાર કરવામાં આવશે. જ્યારે શિક્ષણ કાર્યની શરૂઆત કરવી તેનો નિર્ણય ઉચ્ચ કક્ષાની મિટિંગમાં કરવામાં આવશે.

તેઓએ મહત્વની માહિતી આપતા કહ્યું કે,ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.એક મહિના પહેલા તેની જાહેરાત કરવામાં આવી છે.વિદ્યાર્થીઓને ફોર્મ ભરવા સુધીનો પૂરતો સમય જાળવીને આ જાહેરાત કરવામાં આવી હતી.આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ જાહેર કરવામાં આવશે.એક થી આઠ ધોરણનો નિર્ણય પણ ઉચ્ચકક્ષાની બેઠકમાં કરવામાં આવશે.

મહાશિવરાત્રિનો મહાપર્વ, જાણો- ભોલેનાથના જન્મ સાથે જોડાયેલી આ વાત !
અમદાવાદમાં કોરોના થર્ડ ગિયરમાં : એક જ સપ્તાહમાં 400 કેસ
ગાંધીનગરથી મોટા અપડેટ : ગુજરાતના નવા મુખ્ય સચિવ બન્યા પંકજ કુમાર
મહારાષ્ટ્રમાં જોવા મળ્યું ગજબનું દ્રશ્ય, દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે એક સાથે..
‘કોરોનાકાળમાં પૈસા કોઈ કામના નથી’, તેમ કહી ઉડાવી નોટો, ત્યારબાદ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
Share This Article
Facebook Email Print
Previous Article ચંદા કોચર અને તેના પતિ સામે ચાર્જશીટ દાખલ : ઇડીની મોટી કાર્યવાહી
Next Article અર્ણબ ગોસ્વામીને વધુ એક મોટો ફટકોઃ હવે આ મામલે પણ મુંબઇ પોલીસે FIR નોંધી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up