અમદાવાદ : કેન્દ્ર સરકારે રિટર્ન નહીં ભરનાર વેપારીઓ પર કડક કાર્યવાહી કરતા ઓક્ટોમ્બર-નવેમ્બરમાં 1.63 લાખથી વધુ જીએસટી રજીસ્ટ્રેશન રદ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 21 ઓગષ્ટથી 16 નવેમ્બર 2020 દરમિયાન 720ને ડીમ્ડ આધાર પર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.તેમાં આધારની ખરાઈનહીં થવાને કારણે આ કરવામાં આવ્યું છે. 55 જેટલા કેસોમાં વિસંગતિઓની ઓળખ થઇ છે.તેમના મામલામાં કેન્સલેશનની પ્રક્રિયા શરુ કરી દેવાઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે નકલી કંપનીઓ,રાતોરાત નફો મેળવવાના લાગમાં રહેતા લોકો અને ખોટી રીતે વેપારના દર્શાવનાર નકલી કારોબારીઓ પર સંકજો કસવા માટે અધિકારીઓએ ઓક્ટોમ્બર અને નવેમ્બર દરમિયાન 1,63,042 રજીસ્ટ્રેશન રદ કરી દીધા હતા.આ લોકોએ 6 માસથી વધુ સમયસુધી જીએસટીઆર-3બી રિટર્ન દાખલ કર્યું નહોતું.આ સાથે જ 1 ડિસેમ્બર 2020ના જે કરદાતાઓએ 6 માસથી વધુ સમય સુધી પોતાનું જીએસટીઆર-3બી રિટર્ન દાખલ કર્યું નહોતું એવા 28,635 કરદાતાઓની ઓળખ કરી લેવાઈ છે અને તેમના રજીસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા શરુ કરવા આદેશ આપી દેવાયો છે.
વર્તમાન સમયે નકલી બીલોને લઈને કરવામાં આવતી છેતરપિંડી વિરુદ્ધ શરુ કરવામાં આવેલ દેશવ્યાપી અભિયાન વિરુદ્ધ એક માસની અંદર જ DGGI અને કેન્દ્રીય જીએસટી કમીશ્નરેટે અત્યારસુધી 132 લોકોની ધરપકડ કરી છે.તેમાં ચાર ચાર્ટર્ડ એકાઉન્ટટ અને એક મહિલા સામેલ છે.
આ લોકોએ છેતરપિંડી દ્વારા ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી અથવા બિલ પસાર કર્યા હતા.આ ઉપરાંત સમગ્ર દેશમાં 4586 નકલી GSTIN ફર્મો વિરુદ્ધ 1430 કેસો નોંધાયા છે.સૂત્રોએ જણાવ્યું હતું કે વિશાખાપટ્ટનમથી એક CAની ધરપકડ કરવામાં આવી છે.તેની પર 14 નકલી કંપનીઓ બનાવીને 20.97 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાનો આરોપ છે.