By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કૃષિ કાયદાની કૉપી ફાડતાં કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે”
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કૃષિ કાયદાની કૉપી ફાડતાં કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે”
GeneralNational

કૃષિ કાયદાની કૉપી ફાડતાં કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે”

HM News
Last updated: 17/12/2020 12:03 PM
HM News
5 years ago
Share
SHARE

દિલ્હી વિધાનસભા સત્રમાં નવા કૃષિ કાયદાને લઇને સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર જોરદાર પ્રહાર કર્યા.આ દરમિયાન કેજરીવાલે કૃષિ કાયદા ની કૉપી પણ ફાડી.તેમણે કહ્યું કે,સરકાર હજુ કેટલા જીવ લેશે? અત્યાર સુધી 20થી વધારે ખેડૂતો આ આંદોલન (Farmers Protest)માં શહીદ થઈ ચુક્યા છે.એક-એક ખેડૂત ભગત સિંહ બનીને આંદોલનમાં બેઠો છે. અંગ્રેજોથી પણ ખરાબ ના બને સરકાર.સીએમે (CM) કહ્યું કે, યોગી આદિત્યનાથે બરેલીમાં રેલી કરી અને ત્રણ બિલોના ફાયદા સમજાવવા લાગ્યા કે તમારી જમીન નહીં જાય, મંડી બંદ નહીં થાય.

હવામાં વાત કરવાથી શું થશે?

કેજરીવાલે કહ્યું કે,ભાજપવાળા જણાવે કે આ કાયદાના ફાયદા શું છે? ભાજપવાળાઓને એક લાઇન ગોખાવી દેવામાં આવી છે કે,ખેડૂત દેશમાં ક્યાંય પણ પાક વેચી શકે છે.હવામાં વાત કરવાથી શું થશે? ખેડૂતોને નહીં ભાજપાઈઓને ભ્રમિત કરવામાં આવ્યા છે,ભાજપાઈઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે,સુપ્રીમ કૉર્ટમાં અમારા વકીલે કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી છે.

દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને ફગાવી રહી છે

કોરોનાકાળમાં ઑર્ડિનેંસ પાસ કર્યું? પહેલીવાર રાજ્યસભામાં વૉટિંગ વગર 3 કાયદાને પાસ કરી દેવામાં આવ્યા? આ કાયદા ભાજપના ચૂંટણી ફંડ માટે બન્યા છે. સીએમે કહ્યું કે, દિલ્હી વિધાનસભા કેન્દ્રના કૃષિ કાયદાને ફગાવી રહી છે.કેન્દ્ર સરકાર અંગ્રેજોથી પણ ખરાબ ના બને અને કાયદા પાછા ખેંચે.દિલ્હી વિધાનસભામાં કૃષિ કાયદાઓને નિરસ્ત કરવાનો સંકલ્પ પત્ર સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ભાજપવાળા કહે છે કે,ખેડૂતો પોતાનો પાક આખા દેશમાં વેચી શકે છે.ધાન્યની MSP 1868 રૂપિયા છે,આ બિહાર અને ઉત્તર પ્રદેશમાં 900-1000 રૂપિયામાં વેચાઇ રહ્યું છે.મને જણાવી દો કે આ ખેડૂતો દેશમાં પોતાનો પાક ક્યાં વેચીને આવ્યા છે?”

ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે

તેમણે કહ્યું કે, “કેન્દ્ર સરકાર કહી રહી છે કે ખેડૂતોને કૃષિ કાયદાના ફાયદા સમજમાં નથી આવી રહ્યા આ માટે પોતાના દિગ્ગજ નેતાઓને ઉતાર્યા છે. યોગી આદિત્યનાથ એક રેલીમાં કહી રહ્યા હતા કે આ કાયદાઓથી કોઈની જમીન નહીં જાય,આ ફાયદો છે શું? યોગી આદિત્યનાથજીને પણ નથી ખબર આ કાયદાનો ફાયદો.એ આખું ભાષણ હતુ કે ખેડૂતોને જણાવવાનું છે કે આ કાયદાના ફાયદા શું છે.ભાજપવાળાઓને અફીણ ખવરાવી દેવામાં આવ્યું છે.”

ફરિયાદી સહિતના સાક્ષીઓ પોલીસ ન શોધી શકી, જુવેનાઇલનો છૂટકારો
કોરોનાના વળતા પાણી, દેશમાં 45 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા
લેબેનોનમાં ઇઝરાયલે શરૂ કર્યું ગ્રાઉન્ડ ઓપરેશન
2023ના બજેટમાં કરદાતાઓને મળશે રાહત ? ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારની તૈયારી !
મોદી સરકારની આ ક્વાયત નવી બોટલમાં જૂનો દારૂ, નવા પેકેજમાં થશે મોટી જાહેરાતો
Share This Article
Facebook Email Print
Previous Article કેરળ સોનાની દાણચોરી કેસ : CMના પર્સનલ સચિવ રવિન્દ્રન EDના અધિકારીઓ સમક્ષ હાજર થયા
Next Article શનિવારથી અમિત શાહ પ.બંગાળમાં : તૃણમુલ કોંગ્રેસમાં મોટાપાયે ભંગાણ સર્જાવાની ભાજપની તૈયારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up