– આપણી હિન્દુ બહેન- દીકરીઓને બચાવવા લવ જેહાદ’ નો કાયદો જરૂરી : અંજાર-ગાંધીધામ સહિત કચ્છભરમાં ઠેર ઠેર વિર્ધમી કૃત્યોના છુપા કારસ્તાનો વકરી રહ્યા છે,હિન્દુ સંગઠનો માત્ર હોદ્દાઓના ટેગ રાખવાના બદલે લવજેહાદ જેવા કાયદાઓને લાવવાની દીશામાં ઝુંબેશરૂપ અભિયાન ઉપાડે તે સમયની માંગ : રાજકીય-પ્રસાસનિક માંગના હિન્દુ સંગઠનો-સમાજો ઘડે તખ્તા !
– તાજેતરમાં જ ગાંધીધામમાં પણ આવો જ એક કિસ્સો ઉછળ્યો : અંજારની શહજાદીએ ગાંધીધામની હિન્દુ યુવતિને સંગીતના બહાના હેઠળ લલચાવી-ફોસલાવી લઈ લીધી મોહપાશમાં : જાગૃત આગેવાનો પોલીસ મથકે દોડી જતા શહજાદીને ઉંધી પુછડીએ ભાગવાનો આવ્યો વારો,પરંતુ આ ઘટનાને હળવાશથી લેવાના બદલે લાલબત્તી સમજીને કચ્છ આખાયના હિન્દુ સમાજ-સંગઠનો ‘લવજેહાદ’ કાયદાને લાવવા મુહિમ છેડે અને પરિણામલક્ષી અવાજ ઉઠાવી દેખાડે તે જ સૌના હિતમાં!
– ગીત-સંગીતના બહાને હિન્દુ યુવતિઓને મોહપાશમાં લઈ વશીકરણ કરીને વિકૃતિભર્યા કૃત્યો આચરનારી અંજારની શહજાદી હવે ગાંધીધામમાં કરી રહી છે પગપેશારો : હિન્દુ યુવતિઓને આર્થીક ગાજર લટકાવીને આચરાઈ રહ્યા છે છાના પેંતરા : હવે નહીં જાગો તો બહેન-દિકરીઓને બચાવવું બનશે ખુબજ કપરૂ : હાલમાં જ ગાંધીધામનો એક આવો જ કિસ્સો પોલીસ મથક સુધી ગાજી ગયો, અમુક રાષ્ટ્રપ્રેમી યુવકો દોડી જતા શહજાદીને અહીથી ભાગવાનો આવ્યો હતો વારો : પછી તો આ શહજાદી ફાટીને ધુમાડે ચડે જ ને..! તેને છાવરનાર કોણ છે..રીટાયર્ડ પોલીસ અધિકારીનો પુત્ર?
ગાંધીધામ : લવ જેહાદનો સડો ભારતમાં પાછલા અમુક વરસથી ભારે ચકચાર સર્જી રહ્યો છે અને ન માત્ર તેના બની રહેલા ભોગગ્રસ્તો બલ્કે જે રીતે હવે આ બદી વકરી રહી છે તે જોતા રાષ્ટ્રીયતાના હિતો માટે પણ મોટુ જોખમ જ ઉભું કરી રહ્યો છે.યુપી-કેરળ અને કર્ણાટકથી લઈ અને હવે ગુજરાત-કચ્છ તથા અંજાર-ગાંધીધામ સુધી આવા પ્રકરણોને છાના અંજામ અપાતા થઈ ગયા હોવાની ઘટનાઓ બની રહી છે અને કેટલાક કિસ્સાઓ તો આવા પોલીસ મથકો સુધી પણ ગાજી રહ્યા છે. ત્યારે યુપીમા જે રીતે યોગી સરકાર દ્વારા લવજેહાદના કાયદાને અમલી બનાવવાની દીશામાં અસરકારક કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે તે જ રીતે કચ્છ-ગુજરાતમાં પણ આ કાયદાની વિના વિલંબે વેળાસર જ કડકાઈથી અમલવારી થાય તે દીશાના ઝુંબેશરૂપ પ્રયાસો શરૂ કરી દેવાનો સમય આવી ગયો છે.આ વિષય જાણકારો અને પ્રબુદ્વવર્ગના લોકો એટલા માટે પણ ઉઠાવી રહ્યા છે કે,આવો જ એક કિસ્સો તાજેતરમાં જ ગાંધીધામ શહેરમાં પણ બની જવા પામી ગયો છે.આ પહેલા પણ અંજારમાં શહજાદીના વિધર્મી કૃત્યોનો ઉહાપોહ ઉભો થવા પામી જ ચૂકયો છે.ત્યારે ગાંધીધામ જેવા શહેરમાં પણ શહજાદી બીલી પગે પેસારો કરવા મથી રહી હોય તેમ ગાંધીધામના કિસ્સા પરથી મનાઈ રહ્યુ છે. સંગીત-ગીતના બહાને શહજાદી હિન્દુ યુવતીઓને ભરમાવી,ફોસલાવી કે પછી લોભલાલચ આપી અને વશીકરણ જ કરી લેતી હોય તેવી રીતે તેની મોહપાશમા એક વખત સપડાઈ ગયેલ હિન્દુ યુવતિ ફરીથી પાછુ વળીને જોવા કે પોતાના વાલી પાસે કે ઘરે પરત આવવા પણ તૈયાર થતી જ ન હોવાનુ બની રહ્યુ છે.ગાંધીધામમાં આ જ રીતે શહજાદીએ હિન્દુ યુવતીને પોતાના ચક્કરમાં ફસાવી લીધી હતી જે વાલીઓ સાથે પરત જવા જ તૈયાર થઈ ન હતી અને અંતે જાગૃત રાષ્ટ્રપ્રેમી આગેવાનો સહિતનાઓ પોલીસ મથકે ધસી જતા સહજાદી આણી ટોળકીને ઉંધી પુછડીએ તે વખતે ભાગવાની નોબત આવી હતી. ખૈર અહી તો રાષ્ટ્રીય હિતચિંતકો આવી જતા મામલો સહેજ થાડે પડી જવા પામી ગયો હતો પરંતુ આ રીતે ગીત સંગીતના નામે સહજાદી અથવા તો અન્ય કોઈ વિધર્મી કૃત્ય આચરતું જ રહેશે તો હિન્દુ યુવક અથવા તો યુવતીઓને બચાવવી મુશ્કેલ બની જશે.ખરેખર તો હવે ગુજરાતમાં પણ લવજેહાદ કાયદાને વેળાસર જ લવાય તે માટે સૌએ કમર કસવી જ પડશે અને આ માટે માત્ર ટેગ પુરતા હોદાઓ ધરાવતા ન બની રહી અને ખરેખર કચ્છના હિન્દુ સમાજના સંગઠનો આગળ આવે અને આ કાયદાની સજજડ અમલવારી કરાવવી અને સહજાદી જેવાઓને વકરતા પહેલા જ ડામી દેવામા આવે તે સૌના હિતમાં કહેવાશે. અહી નોધનીય છે કે,યુપીમાં ઘણા બધા લવજેહાદના કિસ્સાઓ સામે આવ્યા બાદ આ લવજેહાદનો કાયદો અમલી બનવા જઈ રહ્યો છે. કચ્છ અને ગુજરાતમાં લવજેહાદના સત્તાવાર જુજ કિસ્સા બહાર આવ્યા છે એ બીજીવાત છે કે,અંદરખાતે ઘણા કીસ્સાઓ બનતા હશે અને સંકેલાઈ જતા હશે પરંતુ યુપી જેવો જ લવજેહાદનો કડક કાયદો અહી અમલી બનાવવો જ ઘટે.યોગી કેબિનેટે પણ આ કાયદાને મંજૂરી આપી દીધી છે. યુપીમાં યોગીજીએ જે કાયદો બનાવ્યો છે લવજેહાદનો તેની વાત કરીએ તો યુ.પી. સામે પ્રોહિબિશન ઓર્ડિનન્સ ૨૦૨૦માં છેતરપિંડી અથવા લોભ દ્વારા લગ્ન કરાવવું એ ગુનો છે. લગ્ન પછી બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા બદલ સજામાં દોષિતોને ૫ થી ૧૦ વર્ષની સજાની જોગવાઈ રખાઈ છે. નોધનીય છે કે, રાજ્યપાલે આપી અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે.આવા જ કાયદાની માંગ ગુજરાતમાં પણ સામુહિક ઝુંબેશ રૂપે ઉપાડવામા આવે તે સમયની માંગ બની જવા પામી રહી છે.ગુજરાતમાં પણ આવો કાયદો ઝડપથી વિના વિલંબે પ્રાથમિકતાના તબક્કે અમલી બને તે માટે હિન્દુ સંગઠનોએ જાગવાનો સમય પાકી ગયો છે તેમ અંજાર-ભુજ-ગાંધીધામ સહિતમાં બની રહેલા સહજાદી કાંડના કિસ્સાઓથી વધુ પડતુ નહી કહેવાય.