ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે,ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના કલ્યાણ માટે સદાય તત્પર રહેતા 24-સુરત લોકસભાના સાંસદ દર્શનાબેન જરદોશની ભલામણથી પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી સુરતના ચાર જેટલા જરૂરિયાતમંદ દર્દીઓને ગંભીર બિમારીઓમાં 8.25 લાખની સહાય ચુકવવામાં આવી છે.
કિડની, કેન્સર જેવા ગંભીર રોગના સમયે ‘પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ’માંથી દર્દીઓને રાહતરૂપે નાણાકીય સહાય આપવામાં આવે છે.જે માટે તમામ પુરાવા સાથે સાંસદની ભલામણના આધારે સહાય મળી શકે છે.જેમાં સુરતના સાંસદની ભલામણથી આશુતોષ તારાચંદ મિશ્રા,રવિ અરૂણ વર્મા તથા મનિષાબેન નિલેશભાઈ ડોબરીયા એમ કુલ ત્રણ દર્દીઓને કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રતિ વ્યક્તિ રૂ.1,75,000 તેમજ આશાબેન કુકડીયાને કેન્સર સારવાર માટે રૂ. 3,00,000ની સહાય ચુકવવામાં આવી હતી.


