અમદાવાદ : કોરોના વાયરસને કારણે રાજ્યમાં અમદાવાદ સહિત ચાર મોટા શહેરોમાં નાઇટ કર્ફ્યૂં નાંખવામાં આવ્યો છે.આવતીકાલથી નાતાલ છે તેની સાથે જ નવા વર્ષને આવકારવાનો થનગનાટ શરૂ થઈ જશે.પરંતુ આ વખતે સરકારે કોઇપણ જાતની ઉજવણી પર પ્રતિબંધ મૂકી દીધો છે.તેમ છતાં કેટલાક લોકો ગુપ્ત રીતે પાર્ટી યોજવાનું વિચારી રહ્યાં છે.જોકે 31 ડિસેમ્બરે નવા વર્ષની ઉજવણી કરનાર સામે કડક કાર્યવાહી કરાશે.આ વખતે 31મી ડિસેમ્બરના નામે કોઈએ નિયમ તોડ્યો છે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે.શહેરમાં એસજી હાઈવે નજીક આવેલા ફાર્મ હાઉસ પર પણ આ વખતે ઉજવણી નહીં થાય.
અમદાવાદને અડીને આવેલા ફાર્મ હાઉસમાં તેમજ પાર્ટી આયોજન કરતા લોકો સામે પોલીસ વોચ ગોઠવી દીધી છે.પાર્ટી કરનારા આયોજકો અને મહેમાનો તમામને નિયમ ભંગ બદલ પોલીસ સ્ટેશનની હવા ખાવી પડશે.દારૂની રેલમછેલ રોકવા માટે પણ ડ્રાઈવ ચલાવામાં આવશે.સાવચેતીના ભાગરુપે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ઉપરોક્ત આદેશ કર્યાં છે.
જાહેર સ્થળો પર કોઈ પણ પ્રકારની ઉજવણીની મંજૂરી અનિવાર્ય સંજોગો સિવાય પ્રશાસન આપશે પણ નહીં.નાગરિકોના આરોગ્યની સુરક્ષા માટે રાજ્ય સરકારે અત્યાર સુધી જે પ્રયાસો કર્યાં તેના પર પાણી ન ફરી વળે તેનું ધ્યાન રાખવા પણ આદેશ કરાયા છે.
નોંધનિય છે કે કોરોનાની સ્થિતીમાં લોકોએ પણ ભેગા ન થવું જોઇએ, કારણ કે કોરોના સામેની જંગમાં સહભાગી થવું તે આપણી ફરજ છે.થર્ટી ફસ્ટની તમામ પ્રકારની ઉજવણી ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને સરકારે 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનું એલાન કર્યું છે,ચાલુ વર્ષે જો દિવ,દમણ કે અન્ય જગ્યા એ થર્ટી ફસ્ટ ની ઉજવણી કરવાનું જો વિચારતા હોય તો માંડી વાળજો કેમકે કોરોના વાયરસ ની મહામારી જોતા સરકારે 31 ડિસેમ્બરની રાત્રે થનારી ઉજવણી ના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે.ગૃહ વિભાગે આ સંબંધમાં આદેશ જાહેર કરી દીધો.સરકારે 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનું એલાન કર્યું છે.આ કર્ફ્યુ તમામ નગર નિગમ,નગર પરિષદ અને એક લાખથી વધુ વસ્તીના શહેરોમાં લાગશે ત્યારે આ વખતે આવી કોઈ ઉજવણી કરી શકાશે નહીં.
ગૃહ વિભાગના આદેશ અનુસાર,નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજન થનારા તમામ કાર્યક્રમ સમારોહ પર પ્રતિબંધ રહેશે.તેવામાં હવે કોઇ પણ હોટલ,રેસ્ટોરન્ટ, રિસોર્ટ,ફૉર્મ હાઉસ પર કોઇ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન નહીં કરી શકાય.આ સિવાય દીવાળીની જેમ આતશબાજી કરવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.


