અમદાવાદ : અમદાવાદમાં અવાર નવાર પતિ-પત્નીના ઝઘડાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે.પતિએ પત્નીને અલગ-અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતા પત્નીએ પતિને શારીરિક સંબંધ બાંધવાની ના પડી હતી.તેથી આ બાબતને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો.આ ઝઘડો એટલો વધારે આગળ વધી ગયો હતો અને રાત્રે 1 વાગ્યે રોષે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.પત્નીએ કંટાળીને આખરે અભયમ મહિલા હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો.
રિપોર્ટ અનુસાર અમદાવાદમાં મણીનગર વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતીના લગ્ન વર્ષ 2019માં બેંકમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા યુવક સાથે થયા હતા.લગ્ન સમયે યુવતીના પિતાએ કરિયાવર લેવા માટે સાસરીયાઓને પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યા હતા.જેથી દીકરી સાસરીયામાં ડાયનીંગ ટેબલ, AC અને કાર જેવી વસ્તુની ખરીદી કરી શકે.લગ્નના થોડ દિવસો સુધી સાસરીયાઓ પરિણીતા સાથે સરખું વર્તન કર્યું હતું.લગ્નના 15 દિવસ પછી સસરાએ પરિણીતાને ઘર કામ ન આવડતું હોવાનું બાબતે ઠપકો આપ્યો હતો. આ ઘટના પછી થોડા સમય બધું બરાબર ચાલ્યું અને ત્રણ મહિના પછી સાસુ અને નણંદ પણ કામ કરવા માટે પરિણીતાને અવાર નવાર ઠપકો આપતા અને ગાળો આપતા હતા.પરિણીતાએ તેનું લગ્ન જીવન ખરાબ કરવા ન માગતી હોવાના કારણે તે સાસરીયાઓનો ત્રાસ સહન કર્યા કરતી હતી.
તો બીજી તરફ પરિણીતાને પતિને બેંકમાંથી ક્લાર્કમાંથી બેંક ઓફિસર તરીકે પ્રમોશન મળ્યું હતું.તેથી સાસરીયામાં દહેજની લાલચ જાગી હતી.દહેજના લાલચું સાસરીયાઓએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું અને કહેવા લાગ્યા કે, હવે અમારો દીકરો બેંકમાં ઓફિસર છે એટલે હવે તું તેની સાથે શોભતી નથી.આ ઉપરાંત સાસુ પરિણીતાને એમ પણ કહેતી હતું કે,તારા પિતા તો કંગાળ છે અને તું દહેજમાં વધારે કઈ લાવી નથી.એક તરફ સાસરીયાઓનો ત્રાસ હતો અને બીજી તરફ શારીરિક સંબંધ બાબતે પતિ પણ પરિણીતાને ત્રાસ આપવા લાગ્યો.
લગ્ન થયા પછી પતિએ પરિણીતા સાથે એક પણ શારીરિક સંબંધ બાંધ્યો ન હોતો કારણે કે,પતિ અલગ-અલગ રીતે શારીરિક રીતે સંબંધ બાંધવાની માગણી કરતો હતો અને પરિણીતાને આ પસંદ ન હતું. 28 ડિસેમ્બરના રોજ પરિણીતાને તેના પતિ સાથે અલગ-અલગ રીતે શારીરિક સંબંધ બાંધવા બાબતે ઝગડો થયો અને પતિએ રોષે ભરાઈને રાત્રે એક વાગ્યે પત્નીને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી.તેથી મહિલાએ તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ મહિલા અભયમ હેલ્પલાઈનમાં કરી હતી અને ત્યારબાદ મહિલાએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


