અમે નથી ઇચ્છતા કે મમતા બેનર્જી ની હત્યા થાય,બીજેપી સાંસદના નિવેદન ને લઈ પ.બંગાળ માં ચકચાર મચી ગઇ છે.પ.બંગાળમાં ચુંટણીઓ અગાઉનું રાજકારણ ચરમસીમાએ પહોંચ્યું છે આ બધા વચ્ચે ભાજપ સાંસદ અર્જુન સિંહ એ મમતા બેનર્જીને લઇ વિવાદાસ્પદ નિવેદન આપતા ભારે ચર્ચાઓ ઉઠી છે.
અર્જુનસિંહે કહ્યું કે જો મમતા બેનર્જીને હત્યાને લઇ શંકા છે તો તેમણે વડાપ્રધાનને પત્ર લખવો પડશે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી સુરક્ષા કવર પ્રાપ્ત કરવું પડશે.અમે નથી ઇચ્છતા કે તેના ભત્રીજાની બંગાળના લોકોની સહાનુભૂતિ માટે હત્યા થાય.આમ મમતા બેનર્જી ને લઈ અપાયેલા આ નિવેદન ને પગલે રાજકારણ ગરમાયુ છે.
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઇ રાજકારણ બરાબરનું ગરમાયું છે.સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ અને અત્યારે મુખ્ય વિપક્ષી દળની ભૂમિકા નિભાવી રહેલા ભાજપની વચ્ચે જોરદાર જુબાની જંગ ચાલુ છે.આ બધાની વચ્ચે પશ્ચિમ બંગાળની બેરકપુર લોકસભા સીટ પરથી ભાજપ સાંસદ અર્જુન સિંહએ મમતા બેનર્જીને લઇ આપત્તિજનક નિવેદન આપ્યું છે.
અર્જુનસિંહે કહ્યું- સહાનુભૂતિ માટે નથી ઇચ્છતો હત્યા થાય
અર્જુનસિંહે કહ્યું કે જો મમતા બેનર્જીને હત્યાને લઇ આશંકા છે તો તેમણે વડાપ્રધાનને પત્ર લખવો પડશે અને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી સુરક્ષા કવર પ્રાપ્ત કરવું પડશે.અમે નથી ઇચ્છતા કે તેના ભત્રીજાની બંગાળના લોકોની સહાનુભૂતિ માટે હત્યા થાય.
શું છે આખો મામલો
ખરેખર ડિસેમ્બરમાં મમતા સરકારના મંત્રી સુબ્રત મુખર્જીએ કહ્યું હતું કે જો ભાજપ વિધાનસભાની ચૂંટણીઓમાં જીતતું નથી તો મમતા બેનર્જીની હત્યા કરાવી શકે છે. ત્યારબાદથી પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું છે.ભાજપ અને તૃણમૂલના કાર્યકરો વચ્ચે હિંસક અથડામણના અવારનવાર અહેવાલો મળી રહ્યા છે.જેમાં બંને પક્ષોના કેટલાંય કાર્યકર્તાઓના મોત પણ થઇ ચૂકયા છે.
બંગાળ ભાજપ પ્રમુખે પણ સાધ્યું હતું નિશાન
પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષે પણ સુબ્રત મુખર્જીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.તેમણે કહ્યું હતું કે રાજ્ય સરકારને જનતાનો ટેકો નથી મળી રહ્યો તેથી સહાનુભૂતિ મેળવવા તેઓ કેટલાક નિવેદનો આપી રહ્યા છે.તે કહી રહી છે કે કેટલાક લોકો તેમની હત્યાનું કાવતરું ઘડી રહ્યા છે પરંતુ કોઈ આ પ્રકારનો ગુનો કેમ કરે? તે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં લોકોના મત મેળવવા માટે આવા નિવેદનો આપી રહી છે જેથી તે લોકોની સહાનુભૂતિ મેળવી શકે.